SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧. હે દેવાનુપ્રિય! એમ ખરેખર છે કે આજ લગી એ થયું નથી, એ થવા યોગ્ય નથી અને હવે પછી એ થવાનું નથી કે અરહંત ભગવંતો, ચક્રવર્તી રાજાઓ, બલદેવ રાજાઓ, વાસુદેવ રાજાઓ અંત્યકુલોમાં, અધમકુલોમાં, કંજુસનાં કુલોમાં, દળદરિયાં કુલોમાં, તુચ્છ કુલોમાં કે ભિખારીનાં કુલોમાં આજ લગી કોઈવાર આવેલા નથી, વર્તમાનમાં આવતા નથી અને હવે પછી કોઈવાર આવનારા નથી, ખરેખર એમ છે કે, અરહંત ભગવંતો, ચક્રવર્તી રાજાઓ, બલદેવ રાજાઓ કે વાસુદેવ રાજાઓ ઉગ્રવંશનાં કુલોમાં, ભોગવંશનાં કુલોમાં, રાજન્યવંશનાં કુલોમાં, જ્ઞાતવંશનાં કુલોમાં, ક્ષત્રિયવંશનાં કુલોમાં, ઇક્વાકુવંશનાં કે હરિવંશનાં કુલોમાં કે બીજા કોઈ તેવા પ્રકારનાં વિશુદ્ધ જાતિ વિશુદ્ધ કુલ એ વિશુદ્ધવંશમાં આજ લગી આવેલા છે, વર્તમાનમાં આવે છે અને હવે પછી પણ તેઓ ઉત્તમકુલમાં આવવાના છે. ૨૨. વળી, એવો પણ લોકોને અચરજમાં નાખી દે એવો બનાવ, અનંત અવસર્પિણીઓ અને ઉત્સર્પિણીઓ વીતી ગયા પછી બની આવે છે કે જ્યારે નામગોત્ર કર્મનો ક્ષય નહીં થયો હોય, એ કર્મ પૂરેપૂરું ભોગવાઈ ગયેલું ન હોય અને ભોગવાયું ન હોવાથી જ એ કર્મ આત્મા ઉપરથી ખરી પડેલું ન હોય એટલે કે અરહંત ભગવંતો વગેરેને એ કર્મનો ઉદય આવેલો હોય ત્યારે અરહંત ભગવંતો કે ચક્રવર્તી રાજાઓ કે બલદેવ રાજાઓ કે વાસુદેવ રાજાઓ અંત્યકુલોમાં કે હલકાં કુલોમાં કે તુચ્છકુલોમાં કે કંજુસનાં કુલોમાં કે દળદરિયાં કુલોમાં કે ભિખારીનાં કુલોમાં આવેલા છે કે આવે છે કે આવવાના છે છતાં તે કુલોમાં તેઓ કદી જન્મેલા નથી, જન્મતા નથી કે હવે પછી જન્મવાના પણ નથી. ૨૩. અને આ શ્રમણ ભગવંત મહાવીર જંબૂદ્વીપ નામના દ્વીપમાં, ભારતવર્ષમાં માહણકુંડગ્રામ નામના નગરમાં કોડાલગોત્રના રિષભદત્ત માહણની ભારજા જાલંધરગોત્રની દેવાનંદા માહણીની કૂખમાં ગર્ભપણે ઉપજેલા છે. ૨૪. તો થઈ ગેયલા, વર્તમાન સમયના અને હવે પછી થનારા તમામ દેવેન્દ્ર દેવરાજ શક્રોનો એ આચાર છે કે અરહંત ભગવંતોને તેવા પ્રકારનાં અંતકુલોમાંથી કે અધમકુલોમાંથી કે તુચ્છકુલોમાંથી કે કંજુસનાં કુલોમાંથી કે દળદરિયાં કુલોમાંથી કે ભીખ મંગાનાં કુલોમાંથી યાવતું માહણનાં કુલોમાંથી ખસેડીને તેવા પ્રકારનાં ઉગ્રવંશનાં કુલોમાં કે ભોગવંશનાં કુલોમાં કે રાજન્યવંશનાં કુલોમાં કે જ્ઞાતવંશનાં કુલોમાં કે ક્ષત્રિયવંશનાં કુલોમાં કે ઇક્વાકુવંશનાં કુલોમાં કે હરિવંશનાં કુલોમાં કે કોઈ બીજાં તેવા પ્રકારનાં વિશુદ્ધજાતિનાં, વિશુદ્ધવંશનાં અન વિશુદ્ધ કુલવાળાં કુલોમાં ફેરવી નાખવા ઘટે. ૨૫. તો હે દેવાનુપ્રિય ! તું જા, શ્રમણ ભગવંત મહાવીરને માહણકુંડગ્રામ નામના નગરમાંથી કોડાલગોત્રના રિષભદત્ત માહણની ભારજા જાલંધરગોત્રની દેવાનંદા માહણીની કૂખમાંથી ખસેડીને ક્ષત્રિયકુંડગ્રામ નામના નગરમાં જ્ઞાતવંશનાં ક્ષત્રિયોનો વંશજ અને કાશ્યપગોત્રનો સિદ્ધાર્થ ક્ષત્રિય છે તેની ભારજા વાસિગોત્રની ત્રિશલા ક્ષત્રિયાણી છે તેની કખમાં ગર્ભપણે સ્થાપિત કર અને ગર્ભપણે સ્થાપિત કરીને મને આ મારી આજ્ઞા તરત જ પાછી આપી દે. ૨૬. ત્યારપછી પાયદળસેનાનો સેનાપતિ તે હરિભેગમેસી દેવ, દેવેન્દ્ર દેવરાજ શક્રની ઉપર મુજબની આજ્ઞા સાંભળીને રાજી થયો અને યાવત્ તેનું હૃદય રાજી થવાને લીધે ધડકવા લાગ્યું. તેણે થાવત બંને હથેળીઓ ભેગી કરીને અંજલિ જોડીને “એમ દેવની જેવી આજ્ઞા' એ પ્રમાણે એ આજ્ઞાના ૨૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002159
Book TitlePavitra Kalpasutra
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherJashwantbhai N Shah Ahmedabad
Publication Year2006
Total Pages78
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, Story, Paryushan, & agam_kalpsutra
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy