SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ ભગવાન શ્રીહેમચંદ્રસૂરિના ઉપર બાળપોથીરૂપે ઓળખાવેલા પ્રાકૃત વ્યાકરણમાં કેટલાં અગાધતા અને ગાંભીર્ય ભર્યા છે અને એ વ્યાકરણનું સર્વાગી સ્વરૂપ ઘડવા માટે તેમણે કેટલું અગવાહન અને શ્રમ કર્યો છે તેનો આપણને ખ્યાલ આવી શકે છે. પ્રાચીન પ્રાકૃત વ્યાકરણોમાં જે પ્રયોગો અને સૂત્રો નહોતાં એ આચાર્ય શ્રી હેમચંદ્રના વ્યાકરણમાં ક્યાંથી આવ્યાં? તેમજ એ ભાષા ઉપર લેખકોના લિપિદોષ, ભાષાઓના વિમિશ્રણ વગેરેની શી શી અસર થઈ છે અને તેનો વિવેક કેટલી ધીરજથી શ્રી હેમચંદ્રાચાર્યે કર્યો છે. તેનો સાચો જવાબ જૈન આગમો અને તે ઉપરના વ્યાખ્યાગ્રંથો આદિના અધ્યયનથી જ આપી શકાય તેમ છે. આચાર્ય શ્રી હેમચંદ્રના પ્રાકૃત વ્યાકરણની રચના બાદ વિશ્વનાં બધાં જ પ્રાચીન પ્રાકૃત વ્યાકરણો ગૌણ બની ગયાં છે તેનું કારણ એમના વ્યાકરણની સર્વદેશીયતા અને સર્વાગપૂર્ણતા છે. આ ઉપરાંત, જૈન આગમોના અધ્યયન અને સંશોધન માટે જેટલી ભાષાજ્ઞાનની આવશ્યકતા છે તેટલી જ જરૂરિયાત ઉત્તરોત્તર લેખકદોષાદિને કારણે અશદ્ધિના ભંડારરૂપ બની ગયેલ જૈન આગમો અને તે ઉપરના નિર્યુક્તિ-ભાષ્ય આદિ વ્યાખ્યાગ્રંથોના અધ્યયન આદિ માટે પ્રાચીન ગ્રંથસ્થ લિપિ અને તેમાંથી લેખકોએ ઉપજાવી કાઢેલા ભ્રામક પાઠો કે વિવિધ પ્રકારના લિપિદોષોના જ્ઞાનથી પણ છે. આ લિપિની મૌલિકતા અને લેખકોએ કરેલી વિકૃતિઓનું ભાન જેટલું વિશેષ એટલી જ ગ્રંથસંશોધનમાં સરળતા રહે છે. આ સાથે પ્રાચીન ગ્રંથોમાં જ્યાં સંખ્યાનો નિર્દેશ કરવામાં આવતો કે ભાંગાઓ અથવા ભંગજાળ વગેરેની સંખ્યા આદિ દેખાડવામાં આવતાં ત્યાં તેમને અક્ષરાંકોમાં દેખાડતા. એટલે એ અક્ષરાંકોનું જ્ઞાન પણ એટલું જ આવશ્યક છે. વિષયાંતર થઈને આટલું જણાવ્યા પછી હું મૂળવિષય તરફ આવું છું - ઉપર જણાવેલા ભ્રામક પાઠો કે લિપિભેદજનિત વિકૃત અશુદ્ધ પાઠોના પાઠાભેદોને મોટે ભાગે મેં જતા કર્યા છે. તેમ છતાં, કેટલેક ઠેકાણે તેવા વિવિધ પાઠો કે જેની અર્થસંગતિ કોઈ રીતે થઈ શકતી હોય તેવા પાઠો આપ્યા પણ છે. જુઓ ચૂર્ણ પત્ર ૯૦ ટિ. ૨ આ ઠેકાણે પવુિં . મૃત્તિમ્ માિં સં. પ્રકૃત્તિમ પૂમિનાં સં. પ્રાન્તવ્યમ્ આ ત્રણ પાઠભેદો અપાયા છે. એ જ રીતે યોગ્ય લાગ્યું છે ત્યાં તેવા પાઠભેદોનો સંગ્રહ કરવામાં આવ્યો છે. કેટલીક વાર પ્રાકૃત ભાષાભેદજનિત હજારો પ્રકારના પાઠો પૈકી કોઈ કોઈ પાઠભેદો નોંધ્યા છે. બાકી મોટે ભાગે જતા કરવામાં આવ્યા છે. ઉ. તરીકે હું તુરું પતિ णतुर्ति, उउवबद्धता उडुबद्धिता, ओवद्धिता, पुण्णिमाते पुण्मिमाए पोण्णिमाते, लोक लोअ लोय लोग लोत, મોજ મા મોગ માય મોત ઇત્યાદિ. આવા સ્વરવિકાર, વ્યંજનવિકાર પ્રત્યયવિકાર વગેરેને લગતા અનેકવિધ પાઠો પૈકી ક્વચિત્ ક્વચિત્ પાઠભેદો આપ્યા છે. બાકી મોટે ભાગે એવા પાઠોને જતા કરવામાં આવ્યા છે. ટિપ્પનકકાર આચાર્ય શ્રી પૃથ્વીચંદ્રસૂરિ મહારાજ છે. તેમના સમયાદિ વિશે હાલ તુરતમાં કશું કહેવાની મારી તૈયારી નથી. એટલે માત્ર તેમને વિશે એટલું કહું છું કે તેઓ ચૌદમા સૈકામાં વિદ્યમાન હોવાનો સંભવ છે. ટિપ્પનકકારે ટિપ્પનકની રચના કરવામાં ચૂર્ણાકારનું અનુગામિપણું સાધ્યું છે. ચૂર્ણાકાર અને ટિપ્પનકકારે આખા કલ્પસૂત્ર ઉપર શબ્દશઃ વ્યાખ્યા નથી કરી એટલે તેમના સામે કલ્પસૂત્રની ૧૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002159
Book TitlePavitra Kalpasutra
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherJashwantbhai N Shah Ahmedabad
Publication Year2006
Total Pages78
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, Story, Paryushan, & agam_kalpsutra
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy