SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્રાંક છે જ નહિ અને સામાચારીમાં પણ કેટલીકમાં જ મળે છે, પરંતુ આ રીતથી એ પ્રતિઓમાં મોટે ભાગે સૂત્રાંકોનું અખંડપણે જળવાયું નથી. જ્યારે મેં સૂત્રકોનું અખંડપણું જાળવવા પ્રયત્ન કર્યો છે. મેં જે સૂત્ર વિભાગ કર્યો છે તેના ઔચિત્ય-અનૌચિત્યપણાની પરીક્ષાનું કાર્ય વિદ્વાનોને સોંપું છું. સંક્ષિપ્ત અને બેવડા પાઠો : કલ્પસૂત્રની પ્રાચીન અર્વાચીન પ્રતિઓમાં કોઈમાં કોઈ ઠેકાણે તો કોઈમાં કોઈ ઠેકાણે એમ, વારંવાર આવતા શબ્દો કે પાઠોને સંક્ષિપ્ત કરવામાં આવ્યા છે. ઉદાહરણ તરીકે देवाणुप्पिया ने पहले देवा, असणपाणखाइमसाइम ने पहले अ । पा । खा । सा असण ४४ अ४ એમ કરવામાં આવ્યું છે. ખંભાતની સં. ૧૨૪૭માં લખાયેલી પ્રતિમાં પ્રાચીન લેખન પરંપરા જળવાયેલી હોઈ અસM અથવા મસ % અને કોઈ ઠેકાણે અસળ હૃવ એમ કરેલ છે. જ્યાં એક શબ્દથી ચાર શબ્દ સમજી લેવાના હોય ત્યાં ચારના અંક તરીકે , કે સ્ત્ર અક્ષરનો પ્રયોગ કરવામાં આવતો. આ જ પ્રમાણે જ્યાં છ શબ્દો સમજી લેવાના હોય ત્યાં છ સંખ્યાના સૂચક તરીકે , I કે , અક્ષર વાપરવામાં આવ્યો છે. તાડપત્રીય પ્રતિઓમાં એક બાજુ આ અક્ષરાંકો દ્વારા જ પત્રાંક સૂચવવામાં આવે છે. જેમને આ અક્ષરાંકોનું જ્ઞાન નથી હોતું તે આવા અક્ષરાંકોને ગ્રંથમાંના ચાલુ પાઠના અક્ષર તરીકે માની લેવા કે અર્થસંગતિ કરવા પ્રયત્ન કરે છે અથવા એ અક્ષરાંકોને નકામા સમજી કાઢી નાખે છે. આ અક્ષરાંકોનું જ્ઞાન પાછલા જમાનામાં વીસરાઈ જવાને લીધે ગ્રંથોમાં ઘણા ગોટાળા થયા છે અને પ્રતિઓનાં પાનાં અસ્તવ્યસ્ત રીતે લખાઈ ગયાં છે. જેની માઠી અસર આપણે પૂજયપાદ આગમોદ્ધારક આચાર્ય ભગવાન શ્રી સાગરાનસુરીશ્વરજી મહારાજના અનુયોગદ્વારÍ આદિના સંપાદન સંશોધનમાં જોઈ શકીએ છીએ. પૂજયપાદશ્રી સમક્ષ આદર્શો અસ્તવ્યસ્ત આવ્યા અને તેઓ વધારે પ્રત્યુત્તરો મેળવવાની આવશ્યકતા નહોતી ગણતા, એટલે ઉપરોક્ત અસરનું પ્રતિબિમ્બ તેમના સંપાદનમાં આવી જ જાય એમાં શંકાને સ્થાન જ ન હોય. આ તો થઈ સંક્ષિપ્ત પાઠોની વાત. હવે આપણે બેવડાએલા પાઠો વિશે જોઈએ - કલ્પસૂત્રમાં આર્ષ સૂત્રપદ્ધતિ હોવાને લીધે સ્થાને સ્થાને કેટલીકવાર પાઠોનો બેવડો ઉચ્ચાર કરવાનો હોય છે, આ સ્થળે તેને કેટલીકવાર ટુંકાવવામાં આવે છે. આ ટુંકાવવાનો ક્રમ કોઈ પણ પ્રતિમાં આદિથી અંત સુધી એકધારો નથી. જેમ કે વામં નાનું ગંડુ, વાપં નાનું મંવિતા આ પાઠને કોઈ પ્રતિમાં વાપં નાનું એવું, વારત્તા આમ લખેલો હોય છે, તો કોઈ પ્રતિમાં વાપં નાણું , ૨ ત્તા એમ લખેલો છે, જ્યારે કોઈ પ્રતિમાં વાપં નાનું સંડુ, ૨ મવિના એમ લખેલું છે. મેં પ્રથમથી જ જણાવી દીધું છે કે મારા સંપાદનમાં એક પ્રતિને મુખ્ય તરીકે સ્વીકારીને હું ચાલ્યો છું, એટલે હું આશા રાખું છું કે મારા સંપાદન દ્વારા આ બધી વિવિધતા સહેજે જ વિદ્વાનોના ખ્યાલમાં આવી જશે. અને એથી આવા વિવિધ અને વિચિત્ર પાઠભેદોને મેં જતા કર્યા છે. કલ્પસૂત્ર શું છે? પ્રસ્તુત કલ્પસૂત્ર, એ કોઈ સ્વતંત્ર સૂત્ર છે કે કોઈ સૂત્રનો અવાન્તર વિભાગ છે?' એ વિશે શ્વેતાંબર જૈન શ્રીસંઘમાં, જેમાં સ્થાનકવાસી અને તેરાપંથી શ્રીસંઘનો પણ સમાવેશ થાય છે, ભિન્ન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002159
Book TitlePavitra Kalpasutra
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherJashwantbhai N Shah Ahmedabad
Publication Year2006
Total Pages78
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, Story, Paryushan, & agam_kalpsutra
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy