________________
જૈનધર્મના પ્રાણ
ગ્રહણ કરે. પ્રાચીન સન્યાસ કે ત્યાગી જીવનના આવા અવિકાસની ગાંધીજીએ સમાજમાં પ્રતિષ્ઠા કરી.
સાભ્યદૃષ્ટિ અને અનેકાંતવાદ
k
જૈન પરપરાએ સામ્યદષ્ટિ ઉપર એટલે બધે ભાર આપ્યા છે કે એણે સામ્યદૃષ્ટિને જ બ્રાહ્મણ પરંપરામાં જેતી ખૂબ પ્રતિષ્ઠા છે તે મમ તરીકે ઓળખાવીને સામ્યદ્રષ્ટિના પેષક સમસ્ત આચાર-વિચારને પ્રાચર્ચ ’– તેમનેફ' 'નું નામ આપ્યું છે, જેવી રીતે બૌદ્ધ પર પરાએ મૈત્રી વગેરે ભાવનાઓને ‘ત્રĀાર ’તુ નામ આપ્યું છે. એટલું જ નહીં પણ ધમ્મપદ અને શાંતિપર્વની જેમ જૈનગ્રંથમાંર પણ સમત્વ ધારણ કરનાર શ્રમણને જ બ્રાહ્મણ કહીને શ્રમણ અને બ્રાહ્મણ વચ્ચેનુ અંતર દૂર કરવા પ્રયત્ન કર્યો છે.
જૈન પર પરામાં સામ્યદષ્ટિ મુખ્યત્વે બે પ્રકારે પ્રગટ થઈ છે ઃ (૧) આચારમાં અને (ર) વિચારમાં. જૈનધર્મને બાહ્ય-આભ્યંતર, સ્થૂલ-સૂક્ષ્મ બધા આચાર સામ્યદૃષ્ટિમૂલક અહિંસાને કેન્દ્રમાં રાખીને એની આસપાસ રચાયેા છે. જે આચાર દ્વારા અહિંસાની રક્ષા અને પુષ્ટિ ન થતી હોય એવા કાઈ પણ આચારને જૈન પરંપરા માન્ય નથી રાખતી. જોકે બધી ધાર્મિક પર પરાએ અહિસા તત્ત્વ ઉપર થોડા-ઝાઝા ભાર દીધા છે, પણ જૈન પરંપરાએ એ તત્ત્વ ઉપર જેટલે ભાર દીધા છે, અને એ તત્ત્વને જેટલું વ્યાપક અનાવ્યું છે, એટલે ભાર અને એટલી વ્યાપકતા ખીજી કાઈ પરંપરામાં જોવામાં નથી આવતાં. મનુષ્ય, પશુ-પક્ષી, કીટ-પતંગ અને વનસ્પતિ જ નહીં, બલ્કે આત્મૌપમ્યની ભાવના દ્વારા પૃથ્વી, પાણી વગેરેના સૂક્ષ્મમાં સૂક્ષ્મ જંતુઓ સુધ્ધાંની હિંસાથી પણ નિવૃત્ત થવાનું કહેવામાં આવ્યું છે.
૧. બ્રાહ્મણુ વગ ૨૬,
૨. ઉત્તરાધ્યયન ૨૫.
૩૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org