SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫ જૈનધર્મને પ્રાણ જૈનધર્મ નિભથધમ પણ છે અને શ્રમણધર્મ પણ છે. શ્રમણ ધર્મની સામ્યદષ્ટિ હવે આપણે એ જોઈએ કે શમણુધર્મના પ્રાણરૂપ સામ્યભાવનાનું જૈન પરંપરામાં શું સ્થાન છે ? જૈન મૃતરૂપે પ્રસિદ્ધ બાર અંગે કે ચૌદ પૂર્વેમાં સામારૂ – સામાચિ નું સ્થાન પહેલું છે, જે આચારાંગસૂત્ર' કહેવાય છે. જૈનધર્મના છેલ્લા તીર્થકર મહાવીરના આચાર-વિચારોનું સીધું અને સ્પષ્ટ પ્રતિબિંબ મુખ્યત્વે એ સૂત્રમાં જ જોવા મળે છે. એમાં જે કંઈ કહેવામાં આવ્યું છે, એ બધાયમાં સામ્ય, સમતા કે સમ ઉપર જ પૂરેપૂરો ભાર આપવામાં આવ્યો છે. “સામાફ” એ પ્રાકૃત કે માગધી શબ્દનો સંબંધ સામ્ય, સમતા કે સમ સાથે છે. સામ્યદૃષ્ટિમૂલક અને સામ્યદૃષ્ટિપિષક જે જે આચાર-વિચાર હોય એ બધા સામા–સામાયિકરૂપે જૈન પરંપરામાં સ્થાન પામે છે. જેવી રીતે બ્રાહ્મણ પરંપરામાં સંધ્યા એક આવશ્યક કર્મ છે, એ જ રીતે જૈન પરંપરામાં ગૃહસ્થ અને ત્યાગી બધાને માટે છ આવશ્યક કર્મ જણાવવામાં આવ્યાં છે, જેમાં મુખ્ય સામગફય છે. જે સામાઈય ન હોય તે અન્ય કોઈ આવશ્યક સાર્થક નથી થતું. ગૃહસ્થ કે ત્યાગી તિપિતાના અધિકાર પ્રમાણે જ્યારે જ્યારે ધાર્મિક જીવનને સ્વીકાર કરે છે ત્યારે ત્યારે એ “ િમતે સામા” એવી પ્રતિજ્ઞા કરે છે. એનો અર્થ એ છે કે “હે ભગવન ! હું સમતા કે સમભાવનો સ્વીકાર કરું છું.” આ સમતાનું વિશેષ સ્પષ્ટીકરણ પછીના બીજા પદમાં કરવામાં આવ્યું છે. એમાં કહ્યું છે કે હું સાવદ્ય યોગ અર્થાત પાપવ્યાપારને યથાશક્તિ ત્યાગ કરું છું. “સામા’ ની આવી પ્રતિષ્ઠા હોવાને લીધે સાતમી સદીના પ્રસિદ્ધ વિદ્વાન જિનભદ્રગણી ક્ષમાશ્રમણે એના ઉપર “વિશેષાવશ્યકભાષ્ય” નામનો અતિવિસ્તૃત ગ્રંથ લખીને બતાવ્યું છે કે ધર્મના અંગરૂપ શ્રદ્ધા, જ્ઞાન અને ચારિત્ર, એ ત્રણેય મારૂચ' છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002157
Book TitleJain Dharmano Pran
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi, Dalsukh Malvania, Ratilal D Desai
PublisherRasiklal Dahyabhai Kora Mumbai
Publication Year1962
Total Pages281
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy