SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનધર્મના પ્રાણ ૧૯૪ મારા વિઘ્નનું આંતરિક અને મૂળ કારણ મારી અંદર જ હોવું જોઈ એ. જે આભ્યંતર ભૂમિકા ઉપર વિઘ્નરૂપી વિષુવૃક્ષ ઊગે છે, એનું ખીજ પણ એ જ ભૂમિમાં વાવેલું હાવુ જોઈએ. પવન, પાણી વગેરે આદ્ય નિમિત્તોની જેમ એ વિઘ્નરૂપી વિષુવૃક્ષને ઉગાડવામાં કદાચ કાઈ અન્ય વ્યક્તિ નિર્મિત્ત બની શકે, પણ એ વ્યક્તિ વિઘ્નનું ખીજ નથી— એટલા વિશ્વાસ માનવીનાં બુદ્ધિનેત્રાને સ્થિર કરી દે છે, જેથી એ મુશ્કેલીનું મૂળ કારણ પેાતાની જાતમાં નિહાળીને એને માટે એ ન તે ખીજા કાઈના ઉપર દોષારાપણુ કરે છે કે ન પોતે ગભરાય છે. ફના સિદ્ધાંત અંગે ડૅ. સેક્સમૂલરના અભિપ્રાય કર્મના સિદ્ધાંતની શ્રેષ્ઠતા દર્શાવતા જે વિચારા ડૉ, મેક્સમૂલરે દર્શાવ્યા છે તે જાણવા જેવા છે. તેઓ કહે છે કેઃ— “એ તા નિશ્ચિત છે કે કમના સિદ્ધાંતને પ્રભાવ માનવજીવન ઉપર બેહદ પડયો છે. જો માનવી એ જાણે કે વમાન જીવનમાં કાઈ જાતના અપરાધ કર્યાં વગર પણ મારે જે કઈ દુઃખ વેઠવુ પડે છે એ મારા પૂર્વજન્મના કર્મનું જ ફળ છે, તે એ, જૂનું દેવું ચૂકવનાર માનવીની જેમ, શાંતપણે એ સંકટને સહન કરી લેશે; અને સાથે સાથે જો એ માનવી એટલું પણ જાણતા હોય કે સહનશીલતાથી જૂનું દેવું ચૂકતે કરી શકાય છે, તથા એથી જ ભવિષ્યને માટે ધર્મની મૂડી ભેગી કરી શકાય છે, તે એને ભલાઈને માંગે ચાલવાની પ્રેરણા આપેાઆપ જ મળી જવાની. સારું કે ખરાબ, કાઈ પણ જાતનું ક નાશ નથી પામતું: ધર્મશાસ્ત્રના આ સિદ્ધાંત અને ભૌતિકશાસ્ત્રને અલ-સંરક્ષણસ બધી સિદ્ધાંત, એ બન્ને એકસરખા છે. બન્ને સિદ્ધાં તેનેા સાર એટલે જ છે કે કાઈ ના પણ નાશ નથી થતા. કાઈ પણ ધશિક્ષણના અસ્તિત્વ વિશે ગમે તેટલી શંકા કેમ ન હેાય, પણ એટલું તેા સુનિશ્ચિત છે કે કમ॰ા સિદ્ધાંત સૌથી વધારે સ્થાનેમાં સ્વીકારવામાં આવ્યા છે. એનાથી લાખા માનવીઓનાં કષ્ટો આછાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002157
Book TitleJain Dharmano Pran
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi, Dalsukh Malvania, Ratilal D Desai
PublisherRasiklal Dahyabhai Kora Mumbai
Publication Year1962
Total Pages281
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy