SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ તપ અને પરિષદ્ધ ૧૪૩ આપણને વારસા મળ્યા છે તેમાં તપ પણ એક વસ્તુ છે. ભગવાન પછીનાં આજ સુધીનાં ૨૫૦૦ વર્ષમાં જૈન સંઘે જેટલા તપતા અને તેના પ્રકારના જીવતે વિકાસ કર્યો છે તેટલા ખીજા કાઈ સંપ્રદાયે ભાગ્યે જ કર્યાં હશે. એ ૨૫૦૦ વર્ષના સાહિત્યમાંથી કેવળ તપ અને તેનાં વિધાનને લગતું સાહિત્ય જુદું તારવવામાં આવે તે એક ખાસ અભ્યાસયેાગ્ય ભાગ જ થાય. જૈન તપ માત્ર ગ્રંથામાં જ નથી રહ્યું, એ તે ચતુર્વિધ સંધમાં જીવતા અને વહેતા વિવિધ તપના પ્રકારાના એક પડઘામાત્ર છે. આજે પણ તપ આચરવામાં જેના એક્કા ગણાય છે. બીજી કાઈ પણ બાબતમાં જૈને કદાચ બીજા કરતાં પાછળ રહે, પણ જો તપની પરીક્ષા——ખાસ કરી ઉપવાસ-આયંબિલની પરીક્ષા લેવામાં આવે તે આખા દેશમાં અને કદાચ આખી દુનિયામાં પહેલે નખર આવનાર જૈન પુરુષા નહિ તે! છેવટે સ્ત્રીઓ નીકળવાની જ, એવી મારી ખાતરી છે. તપને લગતા ઉત્સવેા, ઉજમણાં અને તેવા જ બીજા ઉત્તેજક પ્રકારે આજે પણ એટલા બધા વ્યાપેલા છે કે જે કુટુ’બે—ખાસ કરીને જે બહેને—તપ કરી તેનું નાનું-મોટું ઉજમણું ન કર્યું... હાય, તેને એક રીતે પેાતાની ઊણપ લાગે છે. મુગલ સમ્રાટ અકબરનું આકર્ષણ કરનાર એક કઠેર તપસ્વિની જૈન બહેન જ હતી. પરિષહ તપને તે જૈન ન હોય તે પણ જાણે છે, પરંતુ પરિષહેાની આબતમાં તેમ નથી. અજૈન માટે પરિષ શબ્દ જરા નવા જેવે છે, પરંતુ એને અર્થ નવા નથી. ધર છેાડી ભિક્ષુ અનેલાને પેાતાના ધ્યેયની સિદ્ધિ માટે જે જે સવું પડે તે પરિષ. જૈન આગમામાં આવા પરિષહો ગણાવવામાં આવ્યા છે, તે ફક્ત ભિક્ષુજીવનને ઉદ્દેશીને જ. ખાર પ્રકારનું તપ દર્શાવવામાં આવ્યું છે તે તે ગૃહસ્થ કે ત્યાગી બધાને જ ઉદ્દેશીને; જ્યારે બાવીસ પરિષહેા ગણાવવામાં આવ્યા છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002157
Book TitleJain Dharmano Pran
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi, Dalsukh Malvania, Ratilal D Desai
PublisherRasiklal Dahyabhai Kora Mumbai
Publication Year1962
Total Pages281
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy