________________
અહિંસા
૧૨૭
જાણીતી છે. સગવડ ખાતર આપણે અહીં ઉક્ત બન્ને પ્રકારની અહિંસાને અનુક્રમે અહિંસા અને દયાના નામથી ઓળખાવીશું. અહિંસા એ એવી વસ્તુ છે કે જેની દયા કરતાં વધારેમાં વધારે કિંમત હોવા છતાં તે દયાની પેઠે એકદમ સૌની નજરે નથી ચડતી. દયાને લેકગમ્ય કહીએ તે અહિંસાને સ્વગમ્ય કહી શકાય. જે માણસ અહિંસાને અનુસરતા હોય તે તેની સુવાસ અનુભવે છે. તેને ફાયદો તો અનિવાર્ય રીતે બીજાઓને મળે જ છે, છતાં ઘણીવાર એ ફાયદો ઉઠાવનાર સુધ્ધાને એ ફાયદાના કારણરૂપ અહિંસાતવને ખ્યાલ સુધ્ધાં નથી હોતો અને એ અહિંસાની સુંદર અસર બીજાઓનાં મન ઉપર પડવામાં ઘણીવાર ઘણે લાબા વખત પસાર થઈ જાય છે;
જ્યારે દયાની બાબતમાં એથી ઊલટું છે. દયા એ એવી વસ્તુ છે કે તેને પાળનાર કરતાં તેને લાભ ઉઠાવનારને જ તે વધારે સુવાસ આપે છે. દયાની સુંદર અસર બીજાઓનાં મન ઉપર પડતાં વખત જતો જ નથી. તેથી દયા એ ઉઘાડી તરવાર જેવી સૌની નજરે આવે એવી વસ્તુ છે. તેથી તેને આચરવામાં જ ધર્મની પ્રભાવના દેખાય છે.
સમાજના વ્યવસ્થિત ધારણ અને પિષણ માટે અહિંસા તેમ જ દયા બન્નેની અનિવાર્ય જરૂર છે. જે સમાજમાં અને જે રાષ્ટ્રમાં જેટલે અંશે બીજા ઉપર ત્રાસ વધારે ગુજરાત હોય, નબળાના હકકો વધારે કચરાતા હોય, તે સમાજ કે તે રાષ્ટ્ર તેટલો જ વધારે દુઃખી અને ગુલામ. તેથી ઊલટું, જે સમાજમાં અને જે રાષ્ટ્રમાં એક વર્ગને બીજા વર્ગ ઉપર કે એક વ્યક્તિનો બીજી વ્યક્તિ ઉપર એટલે ત્રાસ ઓછો અથવા બીજા નબળાના હક્કોની જેટલી વધારે રક્ષા તેટલે જ તે સમાજ અને તે રાષ્ટ્ર વધારે સુખી અને વધારે સ્વતંત્ર. એ જ રીતે જે સમાજ અને જે રાષ્ટ્રમાં સબળ વ્યક્તિઓ તરફથી નબળાઓ માટે જેટજેટલો વધારે સુખસગવડને ભોગ અપાતો હોય, જેટજેટલી તેમની વધારે સેવા કરાતી હોય, તેટલે તે સમાજ અને તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org