SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧ જેમ જૈનધર્મના ભકતે કરેલી અતિરંજના નથી તેમ તેના વિરોધીઓ કરેલ દોષદર્શન પણ નથી; પણ વિવેચકે કરેલ જૈન ધર્મના પ્રાણનું નિરૂપણ છે. આ પુસ્તક તેમના વિશાળ, લગભગ અઢી હજાર પાનાંનાં હિન્દીગુજરાતી લખાણમાંથી ચૂંટણું કરીને તૈયાર કરવામાં આવ્યું હોઈ વાચકની બધી અપેક્ષાને એ પૂરી ન પણ કરે, પણ જૈનધર્મના હાર્દને તે તેના ખરા સ્વરૂપમાં પ્રગટ કરે જ છે. જૈનધર્મનું પ્રવર્તન કઈ એક પુરુષને નામે, શૈવ, વૈષ્ણવ આદિની જેમ, નથી ચડ્યું પણ એ જિનો–રાગદેષના વિજેતાઓએ આચરેલ અને ઉપદેશેલ ધર્મનું નામ છે. આથી જૈનધર્મ કોઈ એક વ્યકિતથી પ્રવર્તિત થયો છે કે કઈ એક વ્યક્તિને જ તેમાં દેવ તરીકે સ્થાન છે એમ નથી, પણ જે કોઈ રાગ-દ્વેષનો વિજેતા હોય તે જિન છે અને તેમને ધર્મ તે જૈનધર્મ. આવા જૈનધર્મના અનુયાયીઓ જૈન કહેવાય છે. તેઓએ કાળક્રમે જેમનામાં રાગ-દ્વેષને વિજય જે તેમને પિતાના ઈષ્ટદેવ તરીકે સ્વીકાર્યા અને એવા વિશિષ્ટ દેવોને “તીર્થકર” એવું નામ આપ્યું. આવા તીર્થકરોની સંખ્યા તેમને મતે ઘણી મોટી છે. પણ આ કાળમાં–આ યુગમાં–વિશેષતઃ ઋષભદેવથી માંડીને વર્ધમાન સુધીના ૨૪ તીર્થકરે પ્રસિદ્ધ છે. બીજા ધર્મોની જેમ તેઓ ઈશ્વરના અવતાર નથી કે અનાદિસિદ્ધ ઈશ્વર પણ નથી. પરંતુ સામાન્ય મનુષ્યરૂપે જન્મેલ છતાં પૂર્વ સંસ્કારને કારણે અને તે જન્મમાં વિશેષ પ્રકારની સાધના કરીને તીર્થકર પદને પામ્યા છે. એટલે કે તીર્થકર એ આપણુ મનુષ્યમાંના જ એક છે. અને તેમનો સંદેશ છે કે જે કોઈ તેમની જેમ પ્રયત્ન કરે તે તીર્થંકર પદને પામી શકે છે. મનુષ્યજાતિમાં આ પ્રકારના આત્મવિશ્વાસની પ્રેરણું આપનાર એ તીર્થકર છે. અન્ય ધર્મમાં મનુષ્યથી જુદી જાતિના દેવો પૂજ્યતા પ્રાપ્ત કરે છે, પણ જૈનધર્મમાં મનુષ્ય એવી શક્તિને મેળવે છે જેથી દેવો પણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002157
Book TitleJain Dharmano Pran
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi, Dalsukh Malvania, Ratilal D Desai
PublisherRasiklal Dahyabhai Kora Mumbai
Publication Year1962
Total Pages281
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy