SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ એ પ્રમાણે પરપક્ષનો નિરાસ કરી સ્વશાસ્ત્ર પ્રણીત ત્રણ પદનું સમર્થન કરવા સારુ કહે છે. ગાથાર્થ - પરપક્ષ પ્રમાણે કોઈ પણ રીતે તાંતણા ભેગા ન થતાં હોવાથી જીવ, કર્મ અને તથાભવ્યત્વ આ ત્રણને સંસાર મોક્ષના કારણ તરીકે બુદ્ધિશાળી પુરુષોએ શાન્તચિત્તથી ચોક્કસ સારી રીતે વિચારવા જોઈએ. વિશેષાર્થ :- શાન્તચિત્ત ઃ રાગ દ્વેષથી મન મેલું કર્યા વિના એટલે આ મારું શાસ્ત્ર છે, એમ માની તેના પ્રત્યે રાગ રાખી અને શેષ દાર્શનિક શાસ્ત્ર મારા નથી, માટે તેનાં પ્રત્યે દ્વેષ ભાવ રાખીને જો વિચારવા જઈએ તો ક્યારેય સત્ય અર્થ હાથ આવી ના શકે. માટે તટસ્થભાવથી આપેલો ફેંસલો જ માન્ય થાય છે. જેમાં સત્યનો જ જય થાય છે. અન્યથા નિદોંષના ગળે ફાંસો બાધવાનો અવસર આવે. તેમ દોષિત પદાર્થ પણ બુદ્ધિની કરામતથી સામાન્ય જનોના ગળે લટકાવી શકાય છે. આવો દોષ ઉભો ન થાય માટે “શાન્તચેતોભિ” વિશેષણ મૂક્યું છે... / ૧૧ . ननु चागमप्रामाण्यमवलम्बमानैः पुरुषाद्वैतं ज्ञानाद्वैतं, वा यदेष्यते तदा को दोष । आगमानुसारेणैव युक्तिप्रवर्त्तनस्य न्यायत्वादत आह - ऐदम्पर्यं शुद्ध्यति यत्रासावागमः सुपरिशुद्धः । તમારે તદ્દેશ ચાવીથાપ્રધાતુ છે 99 ऐदम्पर्य्य - प्रकृतार्थोपपत्तितात्पर्य्य यत्रागमे शुद्ध्यति निर्वहति असावागमः सुपरिशुद्धः, प्रमाणभूतस्तात्पर्य्यार्थपर्यन्तं प्रमाणशब्दव्यापारात्तदभावे ऐदम्पर्यशुद्ध्यभावे तद्देशः परिशुद्धागमैकदेशार्थगर्भः कश्चिदन्य आगमः स्यान्नतु मूलागम एव; શંકા - જો આગમનું આલંબન લઈને પુરુષાત કે જ્ઞાનાદ્વૈત માનવામાં આવે તો તેમાં શું દોષ? કારણકે આગમના અનુસારે જ યુક્તિને દોડાવવી ઉચિત કહેવાય, તે શંકાને જડમૂળથી ઉખેડવા સારું ગ્રંથકાર તીણ કુહાડી રૂપી ગાથા દર્શાવે છે. ગાથાર્થ:- જે આગમમાં ઐદમ્પ ફુટ થાય છે તે જ પરિશુદ્ધ આગમ છે. તેના અભાવે વિપરીત પદાર્થનું ગ્રહણ થતું હોવાથી તે શુદ્ધ આગમના એક દેશવાળું કોઈક અન્ય આગમ જાણવું. 218 શ્રીષોડશકપ્રકરણ-૧૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002154
Book TitleShodashaka Prakaranam
Original Sutra AuthorHaribhadrasuri
Author
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year
Total Pages226
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati, Religion, & Yoga
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy