________________
: દુઃ
ઉપકાર સ્મરણ :- આવા પ્રખર વિદ્વાનાના રહસ્યપૂર્ણ ગ્રંથના ગુજરાતીમાં ભાવાનુવાદનું કા મારા જેવા માઁદમતિ મનુષ્ય માટે દુષ્કર ગણાય. આમ છતાં મને આમાં મળેલી યત્કિંચિત્ સફલતાનું મુખ્ય કારણુ સ્વ. પૂજ્યપાદ આચાર્ય દેવ શ્રી પ્રેમસૂરિ મહારાજ તથા પરમગુરુદેવ પ. પૂ. આચાર્યદેવ શ્રી હીરસૂરિ મહારાજની અસીમ કૃપાદૃષ્ટિ છે. સ્વ. પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રી પ્રેમસૂરિ મહારાજે સંયમનુ પ્રદાન કર્યું, સયમની રક્ષા-વિશુદ્ધિની કાળજી રાખી, સંસ્કૃત-પ્રાકૃત ભાષા આદિના સંગીન અભ્યાસ કરાવ્યા
.........
એ મહાપુરુષના આવા અર્પણત ઉપકારાની સ્મૃતિ આજે પણ આંખમાં ઝળઝળિયાં લાવી દે છે. કારેક કયારેક તા એ ઝળઝળિયાં પ્રયત્ન કરવા છતાં રાકી શકાતાં નથી. પરમ ગુરુદેવ પ. પૂ. આચાર્ય ભગવત શ્રી હીરસૂરિ મહારાજ મને અલૌકિક માતૃવાત્સલ્ય આપીને મારી સયમનૌકાના સફળ સુકાની બન્યા છે.
પરા પરાયણ પ. પૂ. ગુરુદેવ ગણિવર્ય` શ્રી લલિતશેખર વિ. મહારાજને પણ આમાં ઘણા સહકાર છે. પ્રશ્નસશાધન આદિમાં મળેલા તેઓશ્રીના વિવિધ સહકારથી મને આ કાર્યમાં ઘણી જ રાહત રહી.
સુવિશુદ્ધ સમી પ. પૂ. પંન્યાસ શ્રી જયધેાષવિજયજી ગણિવય"ને પણ આ પ્રસંગે ભૂલી શકું તેમ નથી. પ્રશ્નોના ઉત્તરા, સમયસર પુસ્તકા પહેાંચાડવા વગેરે અનેક રીતે તેઓશ્રી તરફથી મને મદ મળી છે.
આ ભાવાનુવાદમાં કાંય પણ ક્ષતિ જણાય તા મને જણાવવા વાંચકાને મારી હાર્દિક વિનતિ છે. આમાં મારાથી જિનાજ્ઞાથી વિરુદ્ધ કઇ લખાઇ ગયું હોય તા મિચ્છામિ દુક્કડ
Jain Education International
મુનિ રાજરોખરવિજય
For Private & Personal Use Only
www.jainelibrary.org