________________
ગાથા-૧૨-૧૩ ૧૦ ઉપાસકપ્રતિમાવિધિ—પંચાશક : પર૭:
વિરતિની જુદી જુદી કક્ષાએ. જેમ કે–પહેલું અણુવ્રત એ દેશવિરતિની એક કક્ષા, બીજું વ્રત પણ દેશવિરતિની જ એક પ્રકારની કક્ષા છે. આમ દેશવિરતિની અનેક કક્ષાએ છે. એ બધી કક્ષાઓમાં સામાયિક રૂપ કક્ષા પ્રધાન છે. (૧૧) - સામાયિક પ્રધાન ગુણસ્થાન છે તેનું કારણ– सामाइयंमि उ कए, समणो इव सावओ जतो भणिओ। बहुसो विहाणमस्स य, तम्हा एयं जहुत्तगुणं ॥ १२ ॥ , સામાયિક કર્યું હોય ત્યારે શ્રાવક સાધુની જેમ મોક્ષસુખના પરમસાધનરૂપ સમભાવનો અનુભવ કરતો હેવાથી સાધુ જે થાય છે. તથા નિર્યુક્તિકાર ભગવંતે બહુવાર સામાયિક કરવાનું કહ્યું છે. તે આ પ્રમાણે—सामाइयंमि उ कए, समणो इव सावओ हवह जम्हा । પણ કાળ, પણ તમારે mશા આ. નિ. ૮-૧
“સામાયિક કર્યું હોય ત્યારે શ્રાવક સાધુના જેવો થાય છે, માટે ઘણી વાર સામાયિક કરવું જોઈએ. આથી સામાયિક બીજા ગુણસ્થાની અપેક્ષાએ ઉત્તમ ગુણસ્થાન છે. (૧૨)
સામાયિકમાં ક્યા દોષો ન હોય અને કયા ગુણ હોય - मणदुप्पणिहाणादी, ण होंति एयम्मि भावओ संते । सतिभावावडियकारिया य सामण्णबीयं ति ॥ १३ ।।
ભાવથી સામાયિક હોય ત્યારે મનોદુપ્રણિધાન વચનદુપ્રણિધાન અને કાયદુપ્રણિધાન ન હોય તથા સ્મૃતિભાવ અને અવસ્થિતકારિતા હોય. કારણ કે સામાયિક સાધુપણાનું કારણ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org