SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ : ૧૨૨ : ૧ શ્રાવકધર્મ-પંચાશક ગાથા-૪૫ દર્શનની શુદ્ધિ માટે ત્રિકાલ દેવવંદન વગેરે કરવું જોઈએ એમ સંભળાય છે. આથી સવાર-સાંજ બે વખત આવશ્યક કરવાને જે નિયમ છે તે સાધુની જેમ શ્રાવકના છ પ્રકારના આવશ્યકને ઉદ્દેશીને જ ઘટી શકે છે. શ્રાવકના છ આવશ્યકની ઘટના – सव्वति भाणिऊणं, विरई खलु जस्स सव्विया नस्थि । લો સન્નવિરફવા, ગુરુ જ સઘં = ( આ.નિ. ૮૦૦) જે સાધુ સર્વ પાપવ્યાપારીને ત્યાગ કરું છું એમ પ્રતિજ્ઞા કરીને સર્વ પાપનો ત્યાગ કર્યો નથી તે સર્વવિરતિવાદી (-હું સર્વવિરતિધારી છું એમ બેલનારો) સાધુ દેશવિરતિ અને સર્વવિરતિ એ બંનેથી ચૂકે છે.” આ ગાથાથી શ્રાવકને સર્વ શબ્દ રહિત સામાયિક સૂત્ર કહેલું છે. આથી શ્રાવકને પહેલું સામાયિક આવશ્યક ઘટે છે. ચતુર્વિશતિસ્તવ ( લોગસ્સ સૂત્ર ) સમ્યગ્દર્શનની શુદ્ધિ માટે છે. શ્રાવકને પણ સમ્યગ્દર્શનની શુદ્ધિ કરવાની હોય છે. ચતુર્વિશતિસ્તવસૂત્ર સાધુ જ બોલે, શ્રાવક ન લે એવું તે કહ્યું નથી. તથા શ્રાવકે ચતુર્વિશતિસ્તવ બોલે એ અશઠ ઘણા ગીતાર્થ આચાર્યોએ માન્ય કરેલું છે. આથી શ્રાવકોને બીજુ ચતુર્વિશતિ સ્તવ આવશ્યક પણ ઘટે છે. તથા ભાગવતી સૂત્રમાં શંખ શ્રાવકની કથામાં પુષ્કલ શ્રાવકના વૃત્તાંતમાં આવેલા ગમનાગમનશબ્દનો અર્થ ટીકાકારે “પુષ્કલિક શ્રાવકે ઈરિયાવહિયાનું પ્રતિક્રમણ કર્યું” એ જણાવ્યો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002152
Book TitlePanchashak Part 1
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherPanchashak Prakashan Samiti Navsari
Publication Year
Total Pages578
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Religion
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy