________________
અનુવાદની ભાષાને સ્વાભાવિક પ્રવાહ કે તેની વિશેષતા ન હણાય તેની પણ યથાશક્ય કાળજી રાખેલ છે. વળી, આચાર્ય જે ભાવ લેકમાં કહેવા માગતા હોય, તે કદાચ તેમાં ન આવી શક્યો હોય, અને ટીકામાં તેને સ્પષ્ટ કર્યો હોય, તે તેને કૌંસમાં મૂકીને અનુવાદમાં બતાવવામાં આવ્યો છે. તેમ જ વિશેષ સ્પષ્ટતા ખાતર જે કાંઈ ઉમેરવામાં આવેલ છે તેને પણ યથાશક્ય કૌંસમાં મૂકેલ છે. ઉપરાંત, વિદ્યાર્થીઓની સગવડતા ખાતર ગ્રંથકારનું સંક્ષિપ્ત જીવનચરિત અને પાછળ કેટલાંક પરિશિષ્ટ પણ આપવામાં આવેલ છે. પાછળના આચાર્યોએ યોગશાસ્ત્રને ઘણુ છૂટથી ઉપયોગ કરેલ છે, તેથી સંપાદનકાર્યમાં ઉપયેગી થાય એ દષ્ટિએ પરિશિષ્ટમાં લેકેને અકારાદિક્રમ પણ આપેલ છે.
મારે જે ખાસ કહેવાનું છે તે એ છે કે હું મારા પૂર્વ અનુવાદકેને તથા સંપાદનમાં મદદરૂપ થયેલ ગ્રંથ કે લેખેના વિદ્વાન સંપાદકે તેમ જ લેખકેને અત્યંત આણી છું. એ બધાનાં નામની લાંબી હારમાળા આપવાનું ઉચિત નથી ધાર, તથાપિ આ કામમાં અવારનવાર પ્રત્યક્ષ સલાહ આપીને જેમણે મને ઘણી મદદ કરી છે તેવાં નામને અહીં ઉલ્લેખ કર્યા વિના હું રહી શકતું નથી. તેઓ છે મુનિશ્રી જિનવિજયજી, શ્રી મોતીચંદ ગિરધરલાલ કાપડિયા અને શ્રી મેહનલાલ દલીચંદ દેશાઈ શ્રી મોતીચંદભાઈએ તે, તેમની અનેકવિધ પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહેતા હોવા છતાંય, મારું બધું લખાણ અથેતિ તપાસી જઈ કેટલીય વાર મને યેગ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org