SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૮ ચાગશાસ્ત્ર ભસ્મ કરી નાખ્યું; તેથી તે ‘અન ગ’ પણ કહેવાય છે. વળી, તેની ધૃધામાં માછલીનું ચિહ્ન છે તેથી તે ‘ મીનધ્વજ ” પણ કહેવાય છે. 7 રાવણ ૨-૯૯ ભગવાન રામચંદ્રની પત્ની સીતાનું હરણ કરી જનાર લંકાપતિ રાવણુ એક અતિપ્રસિદ્ધ પાત્ર છે. તેની પાસે નવ રત્નજડિત એક માળા હતી. તેને પહેરવાથી પ્રત્યેક રત્નમાં પેાતાના મસ્તકનું પ્રતિબિંબ પડતું હાવાથી તે દશમસ્તક પણ કહેવાતા. તેણે અનેક વિદ્યાએ સાધી હતી, તેથી તે ઘણા પરાક્રમી હતા. પરંતુ સીતાને ઉપાડી લાવવાથી રામચંદ્રે તેના ઉપર ચડાઈ કરી, અને માટી ખૂનખાર લડાઈ થઈ. રાવણુ તેમાં મરાયેા. આમ પરસ્ત્રીલાલસાને પરિણામે તેણે પોતાના અને પોતાના કુળના ક્ષય કર્યાં. સુદર્શન—૨-૧૦૧ અંગદેશમાં આવેલ ચ'પાનગરીમાં દધિવાહન નામના રાજા રાજ્ય કરતા હતા. તેને અભયા નામની અત્યંત રૂપવતી રાણી હતી. તે જ નગરમાં સુદ્દðન નામને દૃઢધર્મી શેઠ રહેતા હતા. તેને મનારમા નામની પરમ પ્રિય પત્ની હતી; તથા કપિલ નામે રાજપુરોહિત પરમ મિત્ર હતા. સુદન જેટલા ગુણવાન તેટલા જ રૂપવાન હતા. કપિલ જેમ સુદર્શનના ગુણુથી આકર્ષાયા તેમ તેની સ્ત્રી કપિલા સુદÖનના રૂપથી લલચાઈ હતી. એક દિવસ જ્યારે કપિલ બહારગામ ગયા ત્યારે કપિલાએ સુદશ નને કહેવરાવ્યું : ‘ તમારા મિત્ર For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International
SR No.002150
Book TitleYogshastra
Original Sutra AuthorHemchandracharya
AuthorKhushaldas Jagjivandas
PublisherMahavir Jain Vidyalay
Publication Year1965
Total Pages216
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy