SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ - તેથી શ્રાવકેએ તેના પિતા ચાચિગને ખૂબ સમજાવ્યું, પરંતુ તેણે પિતાના પ્રિય પુત્રને આપવાની ના કહી. આ વાતની ચંગદેવને ખબર પડી તેથી તે દેવચંદ્રસૂરિની સાથે ખંભાત ચાલ્યા ગયા. ત્યાં તેને ખંભાતના મંત્રી ઉદયનના પુત્ર સાથે રાખવામાં આવ્યો. આ તરફથી પિતાને સમજાવવાના પ્રયત્ન ચાલુ જ હતા. છેવટે તેમણે અનુમતિ આપી અને વિ. સં. ૧૧૫૪ (ઈ.સ. ૧૦૯૮)માં ચંગદેવની દીક્ષા આપવામાં આવી, અને તેનું નામ ફેરવી “સોમચંદ્ર રાખવામાં આવ્યું. દીક્ષા ગ્રહણ કર્યા પછી મુનિ સેમચંદ્ર વિદ્યાધ્યયન માટે કઠિન ગસાધના શરૂ કરી અને ઘણા થેડા જ વખતમાં “તર્ક”, “લક્ષણ” અને “સાહિત્ય એ ત્રણેય વિદ્યાના પારગામી થઈ ગયા; એટલું જ નહિ પણ તેમણે સકળ ધર્મશાસ્ત્રોનું અવગાહન કરી લીધું. કહેવાય છે કે તેઓ એક દિવસમાં “શતસહસ'–લાખ પદ યાદ કરી શકતા હતા. તેમની આવી અસાધારણ બુદ્ધિપ્રભા અને આચરણની ઉજજવળતાથી પ્રસન્ન થઈને ગુરુશ્રીએ વિ. સં. ૧૧૬૬ (ઈ સ. ૧૧૧૦)માં તેમને માત્ર એકવીશ વર્ષની નાની વયે આચાર્યપદે સ્થાપ્યા અને પિતે નિવૃત્ત થયા. આ વખતે તેમનું નામ ફેરવીને હેમચંદ્ર રાખ્યું. તેમને સૂરિપદે સ્થાપવાને વિાધ નાગપુર(નાગર)માં થયો હતે. સમકાલીન પરિસ્થિતિ વનરાજે અણહિલ્લપુર પાટણની સ્થાપના કરી અને જેને ખાસ આમંત્રણ આપી વસાવ્યા ત્યારથી ગૂજરાતની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002150
Book TitleYogshastra
Original Sutra AuthorHemchandracharya
AuthorKhushaldas Jagjivandas
PublisherMahavir Jain Vidyalay
Publication Year1965
Total Pages216
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy