SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપરાંત યુગવીર આચાર્ય શ્રી વિજયવલ્લભસુરીશ્વરજી જન્મશતાબ્દી ઉજવણીને અંક, ‘ જૈન ’ પત્ર, ‘· વિજયાનંદ ’, વલ્લભ સંદેશ તેમજ પૂ. આચાર્ય મહારાજની ડાયરીએ વિગેરેમાંથી પણ કેટલીક માહિતી મળી છે. કેટલાક સમાચારે! અને વિગતે ગાઠવવામાં મને અનન્ય ગુરુભક્તો શ્રી રસિકલાલ એન. કારા, શ્રી ઉમેદમલજી જૈન મદદરૂપ બન્યા છે અને શ્રી નગીનદાસ વાવડીકર તરફથી પણ મને જોઈતી સામગ્રી મળી છે. આ તકે સૌનેા આભાર માનુ છું, આ ગ્રંથનું આમુખ, શ્રી મહાવીર જૈન વિદ્યાલયના મહામાત્ર સેવાપ્રિય મારા વિદ્વાન મિત્ર શ્રી કાંતિલાલ ડી. કારા એમ.એ. એ લખી આપી મને આભારી કર્યો છે. પૂ. આચાર્ય ભગવંતની ભાવના પ્રગાણે આ જીવનપ્રભા શ્રી આત્માનંદ જૈનસભા – મુંબઈ તરફથી પ્રકાશિત થાય છે, તે આનંદપ્રદ છે. આ ગ્રંથમાં રાષ્ટ્રપતિ, માલવક્રેશરીશ્રી સૌભાગ્યમલજી મહારાજ, ડૉ. ભાઈલાલ બાવીશી, પ્રા. પૃથ્વીરાજ જૈન એમ.એ. એ સ્મરણાંજલિઆ લખી મેાકલી ગ્રંથની શાભામાં વૃદ્ધિ કરી છે. આ બધા મહાનુભાવાના આભાર માનતાં હર્ષી અનુભવુ છું. જીવનપ્રભા આલેખતા અનેક પ્રસંગા લેવા પ્રયત્ન કર્યો છે, તાપણુ ઘણી ઘણી વિગતા રહી ગઈ હશે તે ક્ષમ્ય ગણવા વિનંતી. આ જીવનપ્રભામાંથી આપણે શાસનપ્રેમ, રાષ્ટ્રભક્તિ સેવા, મધ્યમવર્ગોના ઉત્કર્ષ માટેની ભાવના, સધર્મ સમભાવ અને ચારે ફ્રીકાની અકયતાની દૃષ્ટિ કેળવીએ અને જીવન ધન્ય બનાવીએ એ જ અભ્યર્થના. ચૈત્ર સુદ-૧ ૨૦૩૩ ઘાટાપર. Jain Education International For Private & Personal Use Only -મહુવાકર www.jainelibrary.org
SR No.002148
Book TitleSamudrasuriji Jivan Prabha Part 1
Original Sutra AuthorN/A
AuthorFulchand Doshi
PublisherAtmanand Jain Sabha
Publication Year1977
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy