SearchBrowseAboutContactDonate
Page Preview
Page 544
Loading...
Download File
Download File
Page Text
________________ જિનશાસનરત્ન ૫૦૩ સાધ્વીજીઓ પણ આવી પહોંચ્યાં-મુનિરાજો પાટ પર બિરાજ્યા. સ્થાનકવાસી મુનિરાજો તથા સાધ્વીજીએએ શ્રી ક્રિસનલાલજીના જીવન સંબંધી પ્રવચન કર્યુ. ગાંડલ સમુદાયના શ્રી હસમુખમુનિ તથા સાધ્વીશ્રી નિમ ળાશ્રીજી આદિએ પણ પ્રવચન કર્યું. પૂ. શ્રી સૌભાગ્યમલજી મહારાજે પણ પ્રવચન કર્યું". આપણા ચરિત્રનાયકને પણ એ શબ્દો ખેલવા આગ્રહ કરવામાં આવ્યેા. તેમની તબિયત ખરાખર ન હતી છતાં આગ્રહવશ એ શબ્દો મેલ્યા. તેમણે જણાવ્યું કે જયતીએ આપણે મહાપુરુષાની મનાવીએ છીએ અને મનાવતા રહીશું પણ મહાપુરુષની જયતી મનાવવાના અથ એવા છે કે તે મહાપુરુષના ગુણનેા એકાદ ગુણુ આપણા જીવનમાં ઉતારીને આત્મશુદ્ધિ કરીએ તે આપણું પણ કલ્યાણ થઈ જાય. મુનિપુંગવ માલવકેસરી સૌભાગ્યમલજી મહારાજે કહ્યું કે આચાય. સમુદ્રસૂરીશ્વરજી મહારાજની તબિયત બરાબર ન હોવા છતાં અહીં પધાર્યો તે જાણી ખૂબ આન ંદ થયા. તેમની કૃપાદૃષ્ટિ માટે હું આભારી છું. આપને દીક્ષાદિવસ મનાવવામાં આવશે ત્યારે હું પણ આપને ત્યાં જરૂર આવીશ. આ પ્રસંગે મહાવીર ભવન શ્રોતાથી ભરાઈ ગયું. હતું. જયનાદ સાથે સભા વિસર્જન થઈ શ્રાવણ વદ ૧૩ના શ્રી શ ંખેશ્વર પાર્શ્વનાથની આરાધના નિમિત્તે અઠમ તપ શરૂ થયાં. અઠમ તપના તપસ્વી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002148
Book TitleSamudrasuriji Jivan Prabha Part 1
Original Sutra AuthorN/A
AuthorFulchand Doshi
PublisherAtmanand Jain Sabha
Publication Year1977
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy