SearchBrowseAboutContactDonate
Page Preview
Page 801
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૫૪ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રભાવક પ્રપંચા નામની મહા કથા બનાવી-એ અતિ રમ્ય અનાથી, સારે બેધ થાય તેવી રીતે તેને કહી બતાવી, અન્ય પ્રાણીઓનાં ખાટા બાંધને આંધી લે ( દૂર કરે) તેવી બનાવી, આઠ પ્રસ્તાવથી ભરેલી બનાવી અને વિદ્વાન માણસેાનાં મસ્તકને પણ ડોલાવે તેવી બનાવી. એ શમભાવના આશ્રય કરનાર ગ્રંથ એમણે વ્યાખ્યાનને યાગ્ય બનાવ્યો અને તે વખતથી સંઘે તેઓશ્રીને વ્યાખ્યાતા( વ્યાખ્યાનકાર)ની પદવી આપી. ૯૫–૮૭, ગ્રંથ મનાવીને મરકરી કરનારને (દાક્ષિણ્ય ને ) સદરહુ ગ્રંથ જ્યારે તેણે બતાવ્યા ત્યારે તેણે કહ્યું કે આવા પ્રકારનું કવિત્વ (ગ્રંથમાં ) લાવવું જોઇએ. જે મેં કહ્યું હતું તે તારા હિતને માટે જ કહ્યું હતું.' ૯૮.૧ ત્યાર પછી સિદ્ધે વિચાર કર્યો કે હજી પણ કેટલીક વાતા અહીં જાણવામાં આવી નથી, તેણે પણ મારી અજ્ઞાનતા બતાવી-માટે હજુ પણ મારે વધારે અભ્યાસ કરવા જોઇએ. મેં આપણા પેાતાના અને અન્ય દર્શનાના તર્કના ગ્રંથા જે મળી શક્યા તે સર્વના અભ્યાસ કર્યો પણ ઔધ લેાકનાં પ્રમાણુશાસ્રો તે તેના દેશ બહાર મળી શકતા નથી. ૯-૧૦૦, ( ઉપરનાં વિચારને પરિ ણામે) દૂર દેશમાં ( અભ્યાસ કરવા માટે ) જવાનું તેનું મન એકદમ થઇ આવ્યું એટલે તેણે તુરત ગુરૂમહારાજને નમ્ર વચનેાવડે વિજ્ઞપ્તિ કરીને પૂછ્યું. ૧૦૧, ગુરૂમહારાજે વિધિપૂર્વક પેાતાના શ્રુત જ્ઞાનને ઉપયોગ મૂકીને નિમિત્ત જેઇ લીધું અને પછી અત્યંત પ્રેમપૂર્વક જૈનવા યાગ શરૂ કરવાની ઇચ્છાવાળાને કહેવા લાગ્યા. “ અભ્યાસની માયતમાં કોઇ દિવસ ધરાઇ જવું નહિ-સંતેષ માની લેવા નહિ એ વાત તે બહુ સારી છે, પણ ભાઇ! તને કાંઇ કહેવાનું છેઃ એ કોઇ પણ વસ્તુની હયાતી નહિ માનનારા ( કેંઅસાદી)ના મતમાં બુદ્ધિના ખુરદા થઇ જાય છે. તેઓની ઉલટીસુલટી સાબીત કરવાની પદ્ધતિમાં ૧ આ દાક્ષિણ્યચંદ્રની આખી હકીક્ત માટે ઉપેદ્દાત જીએ. ત્યાં આ બનાવપર વિચવેન વિસ્તારથી તેવામાં આવશે. અહીં આ બનાવ પૂરા થાય છે, હવે સિદ્ધાર્થના જીવનનું નવું પ્રકરણ શરૂ થાય છે. ૨ અહીં ‘તેણે’એટલે દાક્ષિણ્યચંદ્રે એ ભાવ પણ એસે અથવા પેાતે વિશેષ જાણવાથી પેાતાનું વધારે પછાતપણું જણાય તેની અસર બતાવી હેય. ઘેાડું જણનારને બહુ લાગે છે, વધારે જાણે ત્યારે અલ્પ જ્ઞાનના ખ્યાલ થાય છે. ૩ પ્રાથમકલ્પિક’એટલે પ્રથમ ૫રૂપ શિક્ષાગ્રંથને અભ્યાસ શરૂ કરનાર..સિદ્ધ વિદ્વાન્ હતા પણ શિક્ષાને યોગ્ય હતા, પ્રાથમિક અવસ્થામાં હતા, હજી અનુભવમાં બાળક હતા એવા આશય જણાય છે. ૪ નક્ષત્વ કાઇ વાતની હૈયાતી ન માનનાર' શૂન્યવાદીઓ પ્ર. ૪ નું પરિશિષ્ટ ૩. પૃ. દ્દો. જીએ ૧૩૮૦૮૪. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002145
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 4 5
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1924
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy