SearchBrowseAboutContactDonate
Page Preview
Page 732
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશિષ્ટ ૭. ૧૩૮૧ તેથી તેઓ બાર્હસ્પત્ય પણ કહેવાય છે. વૈ ધાતુના અર્થ ચાવવું' ભક્ષણ કરવું થાય છે. પુણ્ય પાપાદિ પરોક્ષ વાતેનું જેઆ ભક્ષણ કરી જાય છે એટલે કે જેઓ તે વાર્તાને માનતા નથી તેમને ચાર્વાંક કહેવામાં આવે છે. કાપાલિક, શરીરે ભસ્મ લગાડનારા ચેાગી આ મતના હાય છે. ચાર્વાક માને છે કે નિવૃતિ નગરી નથી, જીવ નથી, પલાક નથી, પુણ્ય નથી, પાપ નથી વિગેરે. ત્યારે છે શું? પૃથ્વી, જળ, અગ્નિ અને વાયુ એ ચાર તત્ત્વને તે માને છે. એ ચારેના સમુદાયમાં જ શરીર, ઇંદ્રિય, વિષય વિગેરે સંજ્ઞા છે. મદ્યના અંગેામાં રહેલી મદશક્તિ સઘળાં અંગેા એકઠાં થતા પ્રકટ થાય છે, ગાળ ધાવડી વિગેરે એકઠા થતાં મદૃશક્તિ આવિર્ભાવ પામે છે, તેમ એ ચારે તેના સંયોગથી દેહ રૂપ જે પરિણતિ તેમાં ચૈતન્ય પેદા થાય છે તથા પાણીમાં જેમ પરપેાટા ઉત્પન્ન થાય છે અને પાછા તેજ પરપોટા પાણીમાં સમાઇ જાય છે તેમ જ ભૂતસમુદાયમાંથી ચૈતન્ય ઉત્પન્ન થઇ ભૂતમાં જ સમાઇ જાય છે, એ જ્યારે આવિર્ભાવ પામે છે ત્યારે એને ‘જીવ' સંજ્ઞા આપવામાં આવે છે, ખાડી પરલેાકગામી એવા જીવ જેવા ફ્રાઇ પદાર્થ છે નહિ અને હાઇ શકે નહિ. પ્રવૃત્તિ અને નિવૃત્તિથી સાધ્ય જે પ્રીતિ તે પુરૂષાર્થ. એ પુરૂષાર્થ તે એક ‘કામ’ જ છે, પરંતુ મેાક્ષ વિગેરે અન્ય કોઇ ચીજ નથી. આ ઉપરથી જોયું હશે કે પૃથ્વી, જળ, અગ્નિ અને વાયુ એ ચારરી સિવાય અન્ય કોઇ તત્ત્વ નથી માટે દૃષ્ટ એટલે પ્રત્યક્ષ અનુભવાતાં આ લેકનાં સુખના ત્યાગ કરીને અષ્ટ અને અચેાસ પરલાકનાં સુખા જે તપ વિગેરે કંઋક્રિયાથી સાધ્ય મનાય છે તેને પ્રવૃત્તિ કરવી તે કોઇ રીતે યોગ્ય નથી. માટે સાધ્યવૃત્તિ તિ ૧ આ હકીકતમાં અશુદ્ધિ છે. હકીકત એમ નણાય છે કે વૃત્તિ થકી જનને જે પ્રીતિ થાય છે તે નકામી છે; કેમકે ધર્મે છે તે કામ કરતાં અન્ય કાઇ નથી.' (ષદર્શન સ૦ ). સાધ્યુ ધ્યાન બે પ્રકારનું છે: હેય અને ઉપાદેય. હેય તે આર્ત રૌદ્ર ધ્યાન, ઉપાદેય તે ધર્મ શુકલ ધ્યાન અથવા હેય તે વિષય સુખાદિ પાપકૃત્ય અને ઉપાદેય તે તપઃસંયમાદિ પુણ્ય કૃત્ય. એ હેય ઉપાદેયની નિવૃત્તિ પ્રવૃત્તિથી પ્રીતિ અર્થાત્ સુખ થાય છે તે નિરર્થક છે, નકામા છે, અતાત્ત્વિક છે એમ ચાર્વાકા માને છે. તેએ કહે છે કે કામ એટલે વિષયસુખસેવન કરતાં ખીલે કાઈ ધર્મ નથી. તજનિત જે પરમ સુખ તેજ સુખ છે. આ ચાર્વાકાના મત છે. ૨ કેટલાક લેાકાયા આકાશ’ નામનું પાંચમું તત્ત્વ પણ માને છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002145
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 4 5
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1924
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy