SearchBrowseAboutContactDonate
Page Preview
Page 718
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશિષ્ટ ૩. ૧૩૭૧ (૨૨) હેત્વાભાસ: ઉપર જણાવ્યા છે તે પાંચ અનેકાંતિકાદિ. આ પ્રમાણે તૈયાયિક દર્શનનો સંક્ષેપ કર્યો.' વશેષિક, વૈશેષિકેએ આ પ્રમાણે નિવૃતિ નગરીએ જવાનો માર્ગ કહે છેઃ (૧) દ્રવ્ય, (૨) ગુણ, (૩) કર્મ, (૪) સામાન્ય, (૫) વિશેષ, અને (૬) સમવાય એ છ પદાર્થના તત્ત્વજ્ઞાનથી મોક્ષમાર્ગ થાય છે. ઉપર દર્શાવેલી નિવૃતિનગરી તે મોક્ષરૂપ જાણવી. હવે એ છ પદાર્થોનું સ્વરૂપ અત્ર આપીએ છીએ તે વૈશેષિક મતાનુસાર સમજવું. ૧. દ્રવ્ય, આ પદાર્થના નવ ભેદ છે. ૧ અક્ષપાદ નામના આદિ ગુરૂએ આ મત ચલાવ્યો છે તેથી તૈયાયિકો અક્ષપાદના મતના અનુયાયીઓ પણ કહેવાય છે, શિવને-ઇશ્વરને સહારકર્તા માને છે, એમના લિગ તરીકે તેઓ દંડધારી, કાંબળી એાઢનાર, જટાધારી, ભસ્મ લપેનારા, યજ્ઞોપવિત રાખનારા, જ લપાત્ર હાથમાં રાખનારા, પંચાગ્નિ સાધનારા, કંદમલ ખાનારા અને નગ્ન રહેનારા હોય છે. ગુરુશિષ્ય અરસ્પરસ છે નમઃ શિવાય’ બોલે છે. વ, પારાપત, મહાવ્રતધર અને કાલભૂખ એ ચાર તેમના પ્રકાર છે અને અંદમાં ભરટ, ભક્તર, લંગિક, તાપસ આદિ છે. આ લિંગ અને વેશાદિ અત્ર બતાવ્યા છે તે વૈશેષિક દર્શનમાં પણ એજ પ્રમાણે સમજવાં કેમ કે વૈશેષિક અને યાયિકો વચ્ચે પ્રમાણ અને તત્ત્વ સબધે મતભેદ છે તથાપિ અ ન્ય-તત્તવાદ્યન્તર્ભાવ થઈ શકવાને લીધે બહુ થોડો જ અંતર રહે છે. એ બન્ને તપસ્વી' કહેવાય છે. નાયિક શિવ મ.વાળા કહેવાય છે અને વિશેષિકો પાશપત મતવાળા કહેવાય છે. (. દ. સમુચ્ચયને આધારે.) ઉપરના મૂળ વિભાગમાં પણ ઉક્ત ગ્રંથને આધારે ઘણો વધારો કર્યો છે. ૨ કેટલાક વૈશેષિક એ છ પદાર્થ સાથે “અભાવને ભેળવીને સાત પદાર્થ માને છે. ૩ પદાર્થ એટલે જેને નામ આપી શકાય છે. તેને આંગ્લ પરિભાષામાં categories કહે છે. ૪ વૈશેષિક દેવના લિંગ વેપાચારાદિ નિયાચિક મતનાં તે સર્વ કહેતી વખતજ કહેલાં છે. જુઓ ઉપરની નાટ. કેઈ મુનિ રસ્તામાં પડેલા તંદુલકણને ભેગા કરી આહાર કરતા હતા તે ઉપરથી તેની “કણાદ એવી સંજ્ઞા બંધાણી. તે કણુદ મુનિને શિવે ઉલૂક રૂપે આ મત કલા તેથી તે મત લય પણ કહેવાય છે. આ મતવાળા પશુપતિના ભક્ત હોય છે માટે તે પાશુપત પણ કહે વાય છે કણાદના શિષ્ય હોવાથી વૈશેષિક દાણાદ પણ કહેવાય છે. વૈશેષિક અને તૈયાયિકની વચ્ચે તત્ત્વનો જ ભેદ છે તે અત્ર બતાવ્યો છે. ઇશ્વરાદિનો ભેદ નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002145
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 4 5
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1924
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy