SearchBrowseAboutContactDonate
Page Preview
Page 516
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૪] રચૂડની આત્મકથા ૧૧૬૯ અચળ અને ચપળ રાખવામાં આવ્યાં. એ રીતે એ અચળ અને ચપળ મારી માસીના દીકરા થાય. હવે મારા મામા રશેખર એક રતિકાન્તા નામની સ્ત્રી સાથે પરણ્યા હતા તેને એક દીકરી થઈ હતી તેનું નામ ચૂતમંજરી પાડવામાં આવ્યું હતું. તે આ અત્રે હાજર રહેલી છે તે જ છે. મારી માસીના છોકરાઓ અચળ અને ચપળ, હું અને આ ચૂતમંજરી-અમે સર્વે નાનપણમાં સાથે જ ઉછર્યા હતા અને સાથે જ ક્રીડા આનંદ કરતા હતા. અનુક્રમે અમે સર્વે કુમાર અવસ્થાએ પહોંચ્યા અને અમારા કુળક્રમથી જે વિદ્યાઓ ચાલી આવતી હતી તે સર્વને અમે અભ્યાસ કર્યો. “હવે મારી માતાના ભાઈ (મારા મામા) રશેખરને નાન પણુથી એક ચંદન નામના સિદ્ધપુત્રની સાથે દોસ્તી ૨ ચૂડને થઈ હતી. એ સિદ્ધપુત્ર જિનેશ્વરદેવ શ્રી સર્વ કહેલા ધર્મપ્રાપ્તિ. આગમાં ઘણે નિપુણ હતો અને તે ઉપરાંત નિમિત્તશાસ્ત્રમાં, તિષમાં, મંત્રતંત્રમાં અને મનબનાં લક્ષણે સમજવામાં ઘણે કુશળ હતો. એની સેબતથી મારા મામા રહશેખર પણ જૈનધર્મ ઉપર ઘણું રત થયા હતા અને તે ધર્મ ઉપર તેની ઘણું ભક્તિ થઈ હતી. મારા મામા રશેખરે એ સુંદર જૈનધર્મનું જ્ઞાન મારા પિતા મેઘનાદને આપ્યું, તથા મારી માતા રત્નશિખાને અને મને પણ એ ધર્મે શિખવ્ય. ચંદન સિદ્ધપુત્રે ક વખત મારાં લક્ષણ જોઈને મારા પિતા તથા મામાને જણાવ્યું કે આ છોકરે વિદ્યાધરચક્રવતી (વિદ્યાધરનો ચક્રવતી) થશે. - ૧ પાત્રોનાં નામોમાં ગડબડ ન થઈ જાય તે માટે પ્રસ્તાવની શરૂઆતમાં મુખ્ય પાત્ર વિગેરેનું જે વંશવૃક્ષ આપ્યું છે તે જુઓ. હકીક્ત નીચે પ્રમાણે છે: મણિપ્રભ-એ ગગનશેખર નગરને રાજા છે અને કથા કહેનાર રચૂડના દાદા થાય. રશેખર–એ મણિપ્રભને પુત્ર, અને રચૂડને મામે-સાસરો થાય. રશિખા-મણિપ્રભની પુત્રી, રચૂડની માતા અને રશેખરની બહેન થાય. મણિશિખા-મણિપ્રભની પુત્રી, રતશેખરની બહેન અને રચૂડની માસી થાય. અચળ-ચૂડની માસી મણિશિખાને પુત્ર અને રચૂડનો હરીફ. ચપળ-રત્રચૂડની માસી મણિશિખાને બીજો પુત્ર અને રચૂડને હરીફ. ચૂતમંજરીનવૂડના મામા રશેખરની દીકરી, આખરે રચૂડની પતી. મેઘનાદ-રતચૂડના પિતા તે રશિખાને પરણ્યા હતા. આ આખે હિસાબ રચૂડને અંગે બતાવ્યું. આની સાથે વંશવૃક્ષ અને પાત્રો જોતાં હકીકત બરાબર બેસી જશે. ગ્રંથકર્તાએ જરાપણ ઘુંચવણું કરી નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002145
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 4 5
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1924
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy