SearchBrowseAboutContactDonate
Page Preview
Page 450
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭] કાર્યનિવેદન-( રિપોર્ટ). ૧૧૦૩ સમૂહને કાપી નાખવા-તાડી પાડવામાં આનંદ લેતી હતી—આવી રીતે પેાતાના રૂપ વિલાસ અને કપટથી કુલટાની પેઠે વરસાદની ઋતુ પોતાની સત્તા સર્વત્ર ફેલાવી મલકતી હતી. આવા ચોમાસાને જોઇને પ્રકર્ષ પોતાના મનમાં ઘણા જ રાજી થયા અને હવે ઘર તરફ પાછા ફરવાની ઇચ્છાથી મામા પ્રત્યે ખેલ્યા “ મામા ! હવે શીધ્ર મારા પિતાશ્રીને જઇને મળીએ, કારણ કે હવા હવે ઠંડી થઈ છે જેથી માર્ગો સુગમ થઇ ગયા છે, માટે રસ્તે ચાલવામાં મુશ્કેલી પડે તેવું નથી.” વિમર્શે જવાબમાં કહ્યું “ ભાઇ! તું એમ કેમ બેાલે છે? અત્યારે તા માર્ગોમાં મુસાફરોનું આવવું જવું બીલકુલ બંધ હોય છે તે તારા ધ્યાનમાં હોય તેમ લાગતું નથી. અત્યારે તેા સારી રીતે આચ્છાદિત કરેલા ઘરમાં રહીને સ્વાધીન સ્રીનાં મુખચંદ્રનું અવલેાકન કરનારા અને પ્રવાસ તદ્દન બંધ કરીને ઘરે આવેલા હોય તેવા માણસાને ખરેખરા ભાગ્યશાળી ગણવામાં આવે છે; એનાં કારણેા ખુલ્લાં છેઃ રસ્તા પાણીથી ભરાઇ ગયેલા છે અને ચારે તરફ કાદવ કાદવ થઇ રહેલ છે તેવા રસ્તે ચાલતાં જો પગ જરા ખાટકી જાય કે ખસી જાય તેા તેના તરફ ધૂળના ઢગલાએ હસતા હોય તેમ દેખાય છે; ઉપરથી પડતી સખ્ત જળની ધારાઓથી હણાતા જે ભાગ્યહીન પાપી પ્રાણીએ પરદેશમાં એ ઋતુમાં નીકળે છે તેને જાણે મારતા હોય નહિ એમ બેલતા વરસાદ આકારામાં ગર્જારવ કર્યાં કરે છે-આ પ્રમાણે હાવાથી ભાઇ પ્રકર્ષ! હમણા જવાની વાત તેા પડી મૂક ! આટલા વખત અહીં રહ્યા તા હવે થોડો વધારે વખત પણ અહીં રહીએ. અહીં જે વખત જશે તે નુકસાન કરનારા થવાના નથી, પણ લાભ જ કરનાર થશે; કારણ કે અહીં એક પણ ક્ષણ જાય છે તે તારા અભ્યુદયના વધારાને માટે થાય છે.” પ્રકર્ષે તેમ કરવાની ઇચ્છા જણાવવાથી મામાભાણેજ જૈનપુરમાં ચાર માસ રહ્યા. પછી તેઓ પાતાના ઘર તરફ પાછા ફર્યાં અને જે કાર્ય માટે ગયા હતા તે કાર્ય સિદ્ધ થયેલ હાવાથી તેમજ પેાતાને ઘણું જાણવા જોવા શીખવાનું મળેલ હાવાથી મનમાં ઘણુંા હર્ષ પામતા હતા. * ። * ૧ એમ જણાય છે કે મામા ભાણેજ રારઋતુની આખરમાં નીકળ્યા હશે, જુઓ પૂ. ૭૫. ત્યાં સ્પષ્ટ લખ્યું નથી, પણ વર્ષના અવધિ પૂરો ન થઇ જાય માટે ગામ ધારવું ાગ્ય છે. વર્ષાકાળ ચાર માસનો છે પણ વર્ષાઋતુ તે બે માસની જ છે. બાહ્ય પ્રદેશમાં મામા ભાણેજ પંદરેક દિવસ જ કર્યાં હો એમ જણાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002145
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 4 5
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1924
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy