SearchBrowseAboutContactDonate
Page Preview
Page 383
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૩૨ મું. જૈનપુરદર્શન. DEYASEN QOGA ZRSC gey શું ધ્યાદર્શન નામના મહારાજાના મંત્રીથી લેકેને વિડ બના કરવામાં આવે છે તેના અમલ તળે રહેલા . નગરનું મામાએ વર્ણન કર્યું, સાથે જણાવ્યું કે એ નગરીના માર્ગનું જે સંપૂર્ણ વિસ્તારથી વર્ણન કરવામાં આવે તે આખે જન્મ પૂરું થઈ જાય અને છેવટે સૂચવ્યું કે “વિવેક પર્વત પર આવેલા અપ્રમત્ત શિખર પર જે છઠું (જૈન) નગર છે તે નિવૃતિમાર્ગને સાધનાર છે, બાકીના ભૂમિ ઉપર રહેલા પાંચે નગરે નિવૃતિનગરીએ જવાને ગ્ય નથી અને તેથી તેમાં રહેલા લેકે અનેક પ્રકારની વિડંબનાઓ પામે છે અને પરિણામે સંસારમાં ભટક્યા કરે છે.” આટલી હકીકત સાંભળ્યા પછી છઠ્ઠા નગર સંબંધી વિશેષ હકીકત જાણવાની જિજ્ઞાસા પ્રકર્ષને થઈ આવી તેને અંગે જે ઘણું અગત્યની વાર્તા મામા ભાણેજ વચ્ચે થઈ તે બહુ મહત્વની છે. અને તેના પર ખાસ લક્ષ્ય આપવા ગ્ય છે. સંસારીજીવ ભવ્યપુરૂષ સાંભળે તેમ અગ્રહીત સંકેતા અને પ્રજ્ઞાવિશાળાની હાજરીમાં સદાગમ સમક્ષ પોતાનું ચરિત્ર આગળ ચલાવતાં કહે છે કે વિચક્ષણ આચાર્યો રિપદારૂણના પિતા નરવાહન સમક્ષ પિતાની હકીકત કહેતાં આગળ જણાવ્યું કે ત્યાર પછી મામા ભાણેજ વચ્ચે નીચે પ્રમાણે વાર્તા આગળ ચાલી. (રસનાની મૂળ ઉત્પત્તિ શોધી લાવવા વિમર્શને શુભદય રાજાએ મોકલેલ છે અને તેની સાથે તેને ભાણેજ પ્રકર્ષ જિજ્ઞાસાથી આવેલ છે. રસનાની શોધ થઈ ગઈ, પણ તેઓને એક વરસનો અવધિ આપેલ હોવાથી તેમાં બાકી રહેલા વખતમાં પ્રકર્ષની જિજ્ઞાસા તૃપ્ત કરવા સારૂ મામા તેને ભવચક્રના અનેક કૌતુકે બતાવે છે.) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002145
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 4 5
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1924
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy