SearchBrowseAboutContactDonate
Page Preview
Page 294
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૨૩] રિપુકંપન. (મિથ્યાભિમાન) થઈ રહ્યો છે તેથી જાણે સૂર્યની પ્રભાને અંદર આવવાની જરૂરીઆત જ બંધ થઈ ગઈ હોય એમ જણાયું. એ મંદિરમાં ચારે તરફ વામણુઓ અને કુબડા નાટક કરવા લાગ્યા, જનાનખાનાના નોકરે સર્વત્ર હાસ્ય કરવા લાગ્યા, કેને રતના સમૂહ વધામણમાં મળવા લાગ્યા, અમૂલ્ય કિમતવાળા મોતીના હારેને તોડીને ચારે તરફ મોતીઓ ઉડાડવામાં આવ્યા, સુભટવર્ગ આડંબરપૂર્વક નવા નવા પ્રકારના વેશ પહેરીને સર્વત્ર અવરજવર કરવા લાગે, સ્ત્રીઓ આખા મંદિરમાં સર્વત્ર રાસડા વિગેરે વિલાસો કરવા લાગી, મંદિરમાં આવનાર લેકેને અનેક પ્રકારનાં ભજન, અને પાન (પીવાના પદાર્થો મદિરા, જળ વિગેરે) આપવામાં આવ્યાં. સર્વત્ર આનંદ ને હર્ષમાં ઘણું વધારે થઈ રહ્યો. આવી રીતે ચોતરફ પુત્ર જન્મની વધામણુને આનંદ ફેલાઈ રહ્યો હતો અને સર્વ કર વર્ગ આનંદથી નાચ કરી રહ્યો હતો તે વખતે અત્યંત હર્ષમાં રિપકડ મા આનંદમાં આવી જવાથી હર્ષવડે હાથ ઊંચા કરીને પનને નાચ. રાજા રિપુકંપન પણ કરેની સાથે નાચવા લાગ્યો. બનાવ૫ર વિચારણા મિથ્યાભિમાનનું જોર, વાસ્તવિક રિપુપન, ઉક્ત પ્રકારની ધામધુમ સર્વત્ર જોઈને મને મનમાં કાંઈક શંકા ઉત્પન્ન થઈ, તેથી તેણે મામાને પૂછવા માંડ્યું-“મામા ! આ લેકે છુટે હોટે મોટેથી હર્ષના ઉદ્દગાર કરી રહ્યા છે. સર્વ આનંદની ચેષ્ટામાં ઉછળી રહ્યા છે તેને હેતુ શું છે તે જાણવાનું મને કહળ થયું છે | આપ તે મને બરાબર સમજાવે. વળી કેટલાક લેકે પોતાનાં શરીર ઉપર મટેડાને ભાર વહન કરી રહ્યા છે, કેટલાક લાકડાની સાથે ચામડાને મઢીને તેને જોરથી વગાડે છે અને પેલી વિષ્ટાના સમૂહુથી ભરપૂર મોતીની માળાઓ મંદમંદ ચાલે છે તે સર્વેનું કારણ શું ૧ આ કસ્તુરી આદિના વિલેપન માટે હોય એમ જણાય છે ૨ મૃદંગ ઢેલ વિગેરે વગાડવામાં આવે છે તેનું આ વર્ણન છે. ૩ મોતી માછલીની વિષ્ટા છે તે પર આ વ્યાક્તિ લાગે છે. મૂળમાં - : શબ્દ છે તેને અર્થ મેં મેતીની માળા કર્યો છે, પણ તસંબધે હું ચોક્કસ નથી. વિષ્ટા થી ભરપૂર શરીરને ઉપાડવાની વાત પણ સંભવિત લાગે છે. જન્મઅવસર વિષ્ટા ઉડાડવાની કોઈ વાત જણાય છે, પણ પાછી માળાઓ ચાલે છે એવી વાત એટલે નિર્ણય થતો નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002145
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 4 5
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1924
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy