SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨] મહામૂઢતા-મિથ્યાદર્શન-કુદષ્ટિ. ૮૫૧ પ્રયોગ કરનારા હોય છે અને જે લુચ્ચાઓ-ધર્મઠગો પાપપરા“ પણ હોઈ એવા કામ કરવામાં અથવા એવી નજીવી તુછ બાબ“તેમાં વખત કાઢવામાં ધર્મસંબંધી જરા પણ વાંધો ધરાવતા નથી તેવાઓને એ મિથ્યાદર્શન આ પૃથ્વીતળપર ગુણવાન્ તરીકે અતાવે છે, ધીરવીર તરીકે દર્શાવે છે, પૂજવા યોગ્ય તરીકે મનાવે છે, ઊંચા પ્રકારના મનવાળા (મનસ્વી) તરીકે જણાવે છે, તેઓ જ Kબરા લાભ કરાવી આપનારા છે એમ સૂચવે છે અને મુનિઓમાં “તેઓ જ સર્વોત્તમ છે એમ વારંવાર સૂચવે છે. એ મિથ્યાદર્શનમાં એવી શક્તિ છે કે એવા બાહ્ય જન જાણે સર્વથા સર્વ માનને ઉ“ચિત છે એમ પિતાની શક્તિના જોરથી પ્રાણીઓને મનાવે છે. હવે “બીજા એવા જ કેટલાક પ્રાણીઓ હોય છે કે જેઓને એવા અનેક “પ્રકારના મંત્રો તથા તંત્રો અને બીજી વિદ્યાઓ સારી રીતે આવડતી “હેય છે છતાં અતિ નિઃસ્પૃહીપણુથી જેઓ એવા પ્રકારની લોકયાત્રાથી તદ્દન નિવૃત્ત થયેલા હોય છે અને જેને ધર્મના વિષયમાં જરા પણ ઉલ્લંઘન (અતિક્રમ) થઈ જાય તે માટે બહુ જ ભય લાગતો હેય છે, જેઓ પારકાની બાબતમાં જાણે મુંગા બહેરા કે આંધળા “હેય તેમ નકામી બાબત સાંભળતા બોલતા કે જેતા નથી, જેઓ પિતાના ગુણની વૃદ્ધિ થાય તે માટે જ નિરંતર તત્પર રહેનારા હોય છે, જેઓ પોતાના શરીર ઉપર પણ જરાએ આસક્તિ “નહિ રાખનારા હોય છે, તે પછી ધન સ્ત્રી આદિ પર પદાર્થોની તો વાત જ શી કરવી? જેઓ કેપ, અહંકાર અને લેભને નવગજના નમસ્કાર દૂરથી જ કરનારા હોય છે, જેઓના સર્વ સ્થળ વ્યાપારે “તદ્દન શાંત થઈ ગયેલા હોય છે, જેને અન્ય કેદની અપેક્ષા “હેતી નથી, જેઓ તપને ખરેખરું (આત્મા)ધન માનનારા હોય છે, જે કદિ દિવ્ય બતાવતા નથી, જેઓ જાદુગરીની વાત કે પ્રયોગો કરતા નથી, જેઓ મંત્રાદિ કોઈ પણ પ્રકારનું અનુષ્ઠાન કરતા નથી, “જેઓ નિમિત્ત બતાવતા નથી, જેઓ લેકેના ઉપર ઉપરના બાહ્ય Kઉપચારેનો સુખપૂર્વક ત્યાગ કરે છે અને નિરંતર જ્ઞાન ધ્યાન અભ્યાસ અને ગપ્રક્રિયામાં આત્માને આસક્ત રાખતા હોય છે-આવા જ આવા વિશિષ્ટ પુરૂષ હોય છે, મહાત્મા પુરૂષ હોય છે, સાધુઓ “હેય છે તેને એ મિથ્યાદર્શન નિર્ગુણ તરીકે ગણવે છે, લેકવ્યવહારથી વિમુખ જણાવે છે, મૂર્ખ તરીકે પ્રસિદ્ધ કરે છે, સુખભેગથી ૧ જુઓ છેલ્લી નેટના પિટા નં. ૩. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002145
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 4 5
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1924
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy