SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧૧ ] વેલુહલ કથા-અટથી આદિની યાજના. ૨૩૩ અટવીમાં રખડતાં રઝળતાં મોટા રાજ્યની પેઠે આ મનુષ્યભવ પામવો ઘણા જ મુશ્કેલ છે, તમે કોઇ સુંદર યોગથી તે પામી ગયા છે છતાં કર્મના અજીર્ણેથી ઉત્પન્ન થયેલ જ્વર તમને લાગુ પડ્યો છે માટે તમે પ્રમાદના બીલકુલ ત્યાગ કરો. આવા વ્યાધિ હોય તેવે અવસરે તમારે એ પ્રમાદ જરા પણ સેવવા નહિ, કારણ કે મહામેાહુ રૂપ સન્નિપાતનું એ તે કારણ છે, એથી તમારા મનેાજ્વર અત્યંત વધી જશે અને સન્નિપાત થઇ આવશે. તમને થાડો તાપ આવ્યો છે તે ६२ કરવાના ઉપાય કરે, એને વધારવાના રસ્તા ન યા. સમ્યગ્ જ્ઞાન, સમ્યગ્ દર્શન અને સમ્યગ્ ચારિત્ર પેલા મનેાવરનું અમે ઘ ઔષધ છે. એ ઔષધ સર્વજ્ઞ જિનેશ્વર મહારાજાએ દર્શાવ્યું છે, એના ઉપયોગ કરવાથી તમારા ચિત્તપર જે તાપ ચઢ્યો છે તેને સર્વથા નાશ થઇ જશે, તેથી એ ઔષધનું વિધિપૂર્વક સેવન કરો, એમ કરવાથી તમને બહુ પ્રકારના લાભ થશે એમાં જરા પણ સંદેહ જેવું નથી.” ધર્માચાર્યો આવી રીતે આ પ્રાણીને અતિ વિસ્તારપૂર્વક ઉપદેશ આપે છે, પણ આ પ્રાણીનું ચિત્ત પ્રમાદભેાજન ઉપર એટલું બધું આસક્ત હોય છે કે એવી સારી શિક્ષાને આ પાપી પ્રાણી સમજતા નથી, વિચારતા નથી, હૃદયમાં ઉતારતા નથી અને ઉલટા જાણે દારૂ પીધેલ હાય, મદ ચઢેલ હેાય, મગરમચ્છથી પકડાઇ મરવાની અણી ઉપર આવેલા હાય, ગાઢ નિદ્રાના ઘેનમાં પડી ગયેલા હાય, તેની માફક તે આવરો અની ગુરૂમહારાજ કહે છે તે જાણે સાંભળતા જ ન હોય તેમ તદ્દન ઉલટી રીતે જ વર્તન કરે છે-આ સર્વ હકીકત પેલી પ્રમત્તતા નદીમાં આવેલ તદ્વિલસિત બેટમાં ગોઠવાયલા ચિત્તવિક્ષેપ મંડપને લગતી સમજવી. આ આખી હકીકત સંસારી પ્રાણીના સંબંધમાં વારંવાર અન્યા જ કરે છે. સખિ અગૃહીતસંકેતા ! એ રાજપુત્ર વેલહલને તેના ભાજન ઉપર એટલા બધા પ્રેમ હતો કે અજીર્ણને લીધે તે તૃષ્ણા વેદિભાજન તેને ગળે ઉતરતું ન હતું તે પણ તેના ની યાજના. પરની લાલુપતાને લીધે ગમે તેમ કરીને તે જોરથી ગળે ઉતારતા હતા અને ત્યાર પછી છેવટે તે રાજકુમારને પેલાં ભેજનમાં જ સખત વામીટ (ઉલટી) થઇ એ વાત કહી હતી તે હકીકત આ જીવના સંબંધમાં પણ એ જ પ્રકારે અને છે તે તું હવે ખરાખર સમજી લેઃ આ પ્રાણીને એક તેા કર્મના અજીર્ણથી ૧ અહીં તૃષ્ણા વેદિની હકીકત પૃ. ૮૦૮-૯ માંથી પ્રથમ વાંચી લેવી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002145
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 4 5
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1924
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy