SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ Jain Education International પ્રકરણ ૮ ] વિમર્શી–પ્રકર્યું. ૭૩ લાષને મળશું ત્યારે જાણવામાં આવશે. ઘણે ભાગે છેકરાએ પેાતાના આપ જેવાં જ હોય છે તેથી જ્યારે હું વિષયાભિલાષ મંત્રીને ોઇશ ત્યારે એ વાતના નિર્ણય બહુધા તા થઇ જશે. આ પ્રમાણે પોતાના મનમાં વિચાર કરીને વિશે કહ્યું “અરે ભદ્ર! જો હકીકત તમે કહી તે પ્રમાણે છે તે પછી તમે પોતે અહીં કેમ રહ્યા છે? તમે લડવા કેમ ગયા નથી.” ' મિથ્યાભિમાન–“ જ્યારે અમારૂં લશ્કર અહીંથી કુચ કરવા તૈયાર થયું ત્યારે હું પણ સર્વ સાથે તૈયાર થઇ બહાર નીકળ્યા હતા; પણ અમારા રાજા રાગકેસરીએ મને લશ્કરના મુખભાગમાં જેઇને પાછે ખેલાવ્યા અને કહ્યું · આર્ય મિથ્યાભિમાન ! તમારે તે। આ નગરને મૂકીને બહાર જવું જ નહિ. અમે આ નગરથી બહાર જશું તે પણ જો તમે અહીં રહેલા હશે તેા તેની શાભામાં જરા પણ ઓછાશ આવશે નહિ અને તેના ઉપર કોઇ ચડાઇ પણ લઇ આવશે નહિ. વસ્તુતઃ જાણે અમે પાતે જ અહીં (રાજસચિત્ત નગરમાં) હાજર હોઇએ-એમ અની આવશે કારણ કે તમે જ આ નગરનું રખેવાળું કરવાની શક્તિવાળા છે.' અમારા રાજા રાગકેસરીને આ હુકમ મેં માથે ચઢાવ્યા અને તેથી મારૂં અહીં રહેવું થયું.” વિશે ત્યારે તમારા રાજા લડવા ગયા છે તેમની તબીઅત વિગેરેની તેમજ લડાઇના સમાચાર સંબંધી કાંઇ હકીકત તમને ત્યાર પછી મળી છે કે નહિ ? ” મિથ્યાભિમાન—“ અરે હારે હા! ઘણી હકીકત મળી છે. અમારા રાજાનાં દૈવી સાધનાથી લડાઇમાં લગભગ તે તેમની જીત થઇ ગઇ છે, પરંતુ પંચાત એ થઇ છે કે પેલા પાપી સંતેષને સર્વથા હઠાવી શકાતા નથી. તે લુચ્ચા વચ્ચે વચ્ચે અમારા રાજાને થાપ આપી દે છે અને કોઇ કોઇ મનુષ્યને નિવૃત્તિ નગરીએ ઘસડી જાય છે. આથી જોકે રાગકેસરી રાજા પોતે લડવા ગયા છે અને સં તેષને હઠાવવાના કામમાં મંડી રહ્યા છે છતાં પણ આટલા વખત થયા છે.” વિશે—“ ત્યારે હાલ તમારા રાજા ક્યાં સંભળાય છે? ” આવે સવાલ સાંભળીને મિથ્યાભિમાનના મનમાં શંકા થઈ આવી કે કદાચ આ બે જણા (વિમર્શ-પ્રકર્ષ ) દુશ્મનાના આતમી ૧ રાજસી પ્રકૃતિમાં ખાટું અભિમાન મુખ્ય ભાગ ભજવે છે, તેથી કદાચ વિષય અભિલાષા સત્તામાં હેાય તે પણ અભિમાન એ પ્રકૃતિને જાળવી રાખે છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002145
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 4 5
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1924
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy