SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૮ ] વિમર્શ–પ્રકર્ષ. ૭૯૧ પ્રકર્ષ— મામા ! ત્યારે તે એક એ વાત હમણા જ પૂછી લઉ. બીજી વળી પ્રસંગે પૂછીશ. જુએ. ! આ નગરના નાયક પણ તેમાં નથી અને લોકો પણ આ નગર છોડીને હાલ તે। મહારગામ ગયા જાય છે, છતાં નગર પાતાની શાભા છેડતું નથી, સૌંદર્યને જરા પણ ઓછું કરતું નથી-તેનું કારણ શું?” વિશે—“ આ નગરમાં કોઇ મહા પ્રભાવવાળા પુરૂષ રહે છે તેના પ્રતાપથી આ નગરની શેાભા બની અની રહી છે.’ પ્રકર્ષ— મામા ! જો એમ "C ભાગમાં જઇને એ પુરૂષને જોઇએ તો ખરા.” વિમશે—“ ભલે ચાલા ! એમ કરીએ.” ત્યાર પછી તે બન્ને મામા ભાણેજ નગરમાં દાખલ થયા અને રાજમહેલ સુધી આવી પહોંચ્યા. ત્યાં તેઓએ મિથ્યાભિમાન નામને અધિકારી પુરૂષ જોયા. એ અધિકારીની આસપાસ અહંકાર વિગેરે થાડાક પુરૂજેના પરિવાર બેઠેલા હતા. વિમર્શે હવે ભાણેજને ઉદ્દેશીને કહ્યું “ ભાઇ! આ રાજસચિત્ત નગરની અત્યારે જે શાભા જણાય છે તે આ અધિકારી પુરૂષને લઇને છે.” ઃઃ મિથ્યાભિમાન અ ધિ કા રી. તે આપણે આ નગરના અંદરના પ્રકર્ષ— જો એમ છે તા આપણે એ અધિકારીની પાસે જઇને તેની સાથે વાતચીત કરીએ અને તેને બધી હકીકત પૂછીએ.” વિમર્શ ભલે, ચાલા! એમ કરીએ.” ત્યાર પછી મામા ભાણેજે મિથ્યાભિમાનની પાસે જઈને તેની સાથે કેટલીક વાતચીત કરી અને પછી પૂછ્યું કે “ભદ્ર! શા કારણથી આ નગરમાં હમણા માણસેા બહુ જ ઓછા રહ્યા હોય એમ જણાય છે?” મિથ્યાભિમાન—“ અરે ! આ વાત તે સારી રીતે જાહેર થયેલી છે. તમને શું એ વાતની ખબર જ નથી ? ” વિમર્શ—“ ભદ્ર ! આપ કોપાયમાન ન થશે. અમે બન્ને તે મુસાફર છીએ તેથી અમને એ વાતની ખબર નથી. વળી અમને આ હકીકત જાણવાની ઘણી જિજ્ઞાસા છે તેથી તમે અમને એ હકીકત જણાવે.” ૧ રાજ્યના ઓફીસર, રખેવાળ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002145
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 4 5
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1924
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy