SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ و આ પ્રસ્તાવ વાંચતાં એક વાત લક્ષ્યમાં રાખવાની અહુ જરૂર છે. ગ્રંથકર્તાએ ગ્રંથમાં એક શબ્દ પણ વાર્તા માટે લખ્યો નથી, છતાં વાર્તાને એક અદ્ભુત નવલકથા અથવા અદ્ભુત આખ્યાયિકા (romance) ના આકરમાં લખવામાં તેણે ફતેહ મેળવી છે, કથાના પ્રત્યેક શબ્દમાં રૂપક (allegory) કાયમ રાખેલ છે અને તેમાં કોઇ પર્ણ સ્થાને સ્ખલના કરી નથી. આથી આ ગ્રંથ નવલકથા આખ્યાયિકા કથા અને રૂપક કથાના ભાવો એક સાથે બતાવે છે. આ વિષયપર ઉપોદ્ઘાતમાં વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે. અત્ર તે વાતપર લક્ષ્ય ખેંચવાની આવશ્યકતા લાગી છે. ચોથા પ્રસ્તાવમાં એટલા માટે ખાસ લક્ષ્ય રાખીને મેં પ્રકરણો પાડ્યાં છે. પ્રકરણ અને શીર્ષક (headings) ની તથા માજીપર કરેલા ઉપશિર્ષકની જવાબદારી મારી છે. એ દ્વારા એક ચાલુ ગ્રંથને ગ્રંથકર્તાના મૂળ વિભાગમાં કે ગોઠવણમાં ફેરફાર કર્યા વગર નવલકથાનો આકાર આપવા મેં પ્રયત્ન કર્યો છે. પાંચમાં પ્રસ્તાવનો મુખ્ય મુદ્દો સ્તેય ( ચોરી ) અને માયાનાં ભયંકર પરિણામો બતાવવાનો છે. ગ્રંથકર્તાએ પ્રાણાતિપાત, મૃષાવાદ, સ્તેય (ચોરી), સ્ત્રીસંયોગ અને પરિગ્રહને ત્રીજાથી સાતમા પ્રસ્તાવમાં અનુક્રમે ચીતર્યા છે, જ્યારે ક્રોધ, માન, માયા અને લોભ એ પ્રત્યેકને ત્રીજાથી છઠ્ઠા પ્રસ્તાવમાં ચીતર્યાં છે. અંતરકથામાં સ્પર્શન, રસના, ત્રાણ, ચક્ષુ અને શ્રોત્રને અનુક્રમે ત્રીજાથી સાતમા પ્રસ્તાવમાં ચીતર્યાં છે અને એને વશ પડનારાના અને એમાં આસક્તિ રાખનારના હાલહવાલ ચીતર્યા છે. વામદેવ સંસારીજીવ અત્ર થાય છે અને સ્તેય માયાનાં ફળ બતાવે છે જ્યારે મુધાચાર્યના ચરિ ત્રમાં ‘મુન્દ’ ઘ્રાણઆસક્તિનાં ફળ બતાવે છે. આ પાંચમાં પ્રસ્તાવમાં વિમળ નામના રાજકુમારનું ચરિત્ર નૈસગિક ઉત્તમ વર્તનવાળાની વિશાળતા અને વિશિષ્ટતા કેવા હોય છે તે ખાસ ધ્યાન ખેંચે છે. એની સરલતાથી એ દુનિયાને કેવી સારી માને છે, એની સહાનુભૂતિ યોગ્ય વખતે ચૂતમંજરીનો કેવો બચાવ કરે છે, એને માર્ગ દર્શન થતાં એ કેવો સરળભાવે સત્ય શોધવા મંથન કરે છે અને સત્સંગતિ થતાં એનું ઉત્થાન કેવું ઉત્તમ થાય છે વિગેરે અનેક મનનીય પ્રસંગો આ પ્રસ્તાવમાં આવે છે. અવાંતર બાબતોને અંગે અઠરગુરૂનું કથાનક અને ચારિત્રધર્મની સે નાપતિ અને મંત્રી સાથે મંત્રવિચારણા બહુ મનનીય છે. ચારિત્ર મોહનું યુદ્ધ ચોથા પ્રસ્તાવમાં સ્થાપિત કરેલી ભૂમિકા ઉપર પ્રથમ ચિત્ર પાડે છે; એ નાટકનો પ્રથમ પડદા છે જેમાં ચારિત્રરાજની હાર થાય છે. એ પ્ર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002145
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 4 5
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1924
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy