SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ દહી અટક દાઈન્તિક યોજના-કથાને ઉપનય. અવતરણ:-તત્ત્વવેદી પુરુષોને એ માર્ગ છે કે અન્યનું કલ્યાણ કરવામાં જોડાયેલા હોવાથી કારણ વગર તેઓ કાંઈ વિચાર કરે નહિ, કદાચ અજાણપણુમાં તેઓનાં મનમાં કઈ વિચાર પ્રોજન વગર આવી જાય તે પણ તેઓ નિમિત્ત વગર કાંઈ બોલે નહિ, તત્વને નહિ જાણનાર માણસની વચ્ચે તેઓ રહેતા હોય અને કદાચ કોઈ બેલે તો તેઓ હેતુ વગર ચેષ્ટા તે કરેજ નહીં, તેઓ જે કારણ વગર ચેષ્ટા કરે તે પછી તત્ત્વ નહિ જાણનારમાં અને તેમાં કાંઈ તફાવત રહેતો ન હોવાથી તેઓનું તત્વજાણપણું નાશ પામી જાય છે. આ પ્રમાણે હોવાથી જેઓ પોતાની ગણતરી તત્વના જાણકાર પ્રાણએમાં કરાવવા ઈચ્છતા હોય તેઓએ દરેક વખતે પોતાના વિચાર, વાણી અને વર્તનનું સાર્થકપણું વારંવાર વિચારવું અને આ હકીકત જેઓ સમજી શકતા હોય તેઓની પાસે તે કહી સંભળાવવી. આવા તત્ત્વવેદી પુરુષો નકામા વિચાર, ઉચ્ચાર અને વર્તનમાં ખોટી રીતે સાર્થકપણું માનનારાઓને તેમ કરતાં કૃપા કરીને વારે છેઅટકાવે છે. આ પ્રમાણે હોવાથી હું પણ મારી પ્રવૃત્તિનું સાર્થકપણું પ્રથમથી જણાવું છું. મારી ઈચ્છા ઉપમિતિ ભવપ્રપંચા કથાનો આરંભ કરવાની છે તે તમે જાણે છે, તે વાત મેં બીજું દૃષ્ટાંત આપીને તમને બતાવી છે તે હકીક્ત જે તમારા ધ્યાનમાં આવી ગઈ હોય તે હે ભવ્ય પ્રાણીઓ ! મારા ઉપર કૃપા કરી બીજા વિક્ષેપોનો ત્યાગ કરીને આ કથાને આંતરંગ અર્થ સાંભળો કે જેથી તેને આશય-અભિપ્રાય શું છે તે આપના ધ્યાનમાં આવે. ૧ સંકલ્પ. આ મનયાગની પ્રવૃત્તિ થઈ. ૨ આ વચનગની પ્રવૃત્તિ થઈ. ૩ આ કાયયોગની પ્રવૃત્તિ થઈ. ૪ યોગ્ય બાબતમાં મન, વચન અને કાયાના યુગની પ્રવૃત્તિ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy