SearchBrowseAboutContactDonate
Page Preview
Page 660
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૨૬ ] પુણ્યોદયથી વંગાધિપતિ પર વિજય. મારા મનમાં તે વખતે શંકા થઈ કે અરે ! આ દૂતને પિતાશ્રીએ ન મોકલ્યો અને પ્રધાનોએ મારી પાસે મોકલ્યો તેનું શું કારણ હશે ? આવી શંકા મારા મનમાં થવાથી મેં તેને પૂછયું “અરે ! દારુક ! પિતાજી તે ક્ષેમકુશળ છે ને?” દૂત–“હાજી ! પિતાજી તે કુશળ છે! વાત એમ છે કે વિંગદેશને યવન નામનો રાજા છે જે આપના ધ્યાનમાં હશે. તેણે આવીને પિતાના મોટા બળથી આપણું નગરની ચારે તરફ મેટ ઘેરે ઘાલ્યો છે, આપણું ગઢની બહારને આપણો આખો પ્રદેશ તેણે જીતી લીધો છે, આપણાં અનેક સ્થાનકે સર કર્યો છે અને આપણે ઘાસ અને ખોરાકને જ્યાં સંગ્રહ કર્યો હતો તે સ્થાને પણ તેણે તોડી નાખ્યાં છે. એ યવનરાજને હઠાવવાને ઉપાય કઈ પણ હાથમાં રહ્યો નહિ તેથી તમારા પિતાજી (પઘરાજા) ક્ષીર સમુદ્રના જેવા ગંભીર હૃદયવાળા હોવા છતાં પણ થોડા ઘણું વિહળ થઈ ગયા, મંત્રીઓ બધા વિષાદ પામી ગયા, પ્રધાનોનાં મન ઊંચાં થઈ ગયાં, નગરલેકે સર્વ ત્રાસ પામી ગયા; અરે સાહેબ ! કેટલી વાત કહું? હવે શું થશે એ વિચારમાં આખું નગર દૈવને શરણે પડી ગયું. બધા લોકે નસીબ જે કરે તે જોવાશે એવો વિચાર કરવા લાગ્યા. તે વખતે મંત્રીઓ અને પ્રધાનોએ મળીને ઘણો વિચાર કર્યા પછી નિશ્ચય કર્યો કે આ યવનરાજ જેવા મોટા શત્રુને તે કુમાર નંદિવર્ધન જ ઉખેડીને ફેંકી દઈ શકે, બીજા કેઈનામાં એવા પ્રકારની શક્તિ જોવામાં આવતી નથી. મંત્રીએમાં પછી નીચે પ્રમાણે સલાહ થઈ – : મતિધન–“હાલ જે વિચાર ( નિર્ણય) ઉપર આપણે આવ્યા છીએ તે મહારાજા પધરાજાને જણવે.” બુદ્ધિવિશાળ-નહિ ! નહિ! આ વાત મહારાજાને તે જણું વવી જ નહિ” મતિધન કેમ! એમ કરવામાં શું વાંધે છે?” બુદ્ધિવિશાળ—પદ્મરાજાને પિતાના પુત્ર ઉપર ઘણો પ્રેમ છે તેથી આવા સંકટના વખતમાં પોતાનો પુત્ર અહીં આવે તે વાત રાગને લીધે કદાચ તેમને (મહારાજાને) પસંદ નહિ આવે, ૧ પૂર્વ બંગાળાને પ્રદેશ. ૨ પદ્મરાજાના ચાર કાઉસીલરો હતા. તેઓનાં નામ અનુક્રમે મતિધન, બુદ્ધિ વિશાળ, પ્રજ્ઞાકર અને સર્વરચક હતાં. 3 Pourparler, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy