SearchBrowseAboutContactDonate
Page Preview
Page 583
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪૨ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રસ્તાવ ૩ તે વખતે પોતાના સામ-તેમાંથી અને નગરવાસી વિગેરેમાંથી પણ જે જે દીક્ષા લેવા માટે ભાવથી તૈયાર થઈ ગયા સર્વ સામાન્ય પ્રત્યે. હતા તે પ્રત્યેકને મધુર વાક્યથી રાજાએ સંતોષ આ પવા અને ઉત્સાહ દેવા માંડ્યો. રાજા બેલ્યા “અહો! તમે જે પરમાત્માના મતની દીક્ષા લેવા તૈયાર થયા છે તે સર્વ ખરેખરા ભાગ્યશાળી છે, મહાત્મા છે, ઉત્તમ મનુ છે અને કૃતકૃત્ય છો ! (તમારું કાર્ય જરૂ૨ સારું થવાનું છે એવા છે). તમે સર્વ બહુ સારૂં કરે છે, તમારા જેવાએ એમ કરવું તે તદ્દન એગ્ય છે, તમે આ લેકમાં મારા ખરેખર ભાઈઓ છે.” સુલોચનને રાજ્ય-સર્વની દીક્ષા તે વખતે પિતાના સુચન કુમારને પિતાનાં સર્વ રાજ્યચિ ( દંડ, છત્ર, છડિ વિગેરે) સોંપી દઈને તેને રાજ્યગાદી ઉપર સ્થાપન કરવામાં આવ્યો, રાજ્યચિ પવા એનેજ ગાદી સોંપ્યા બરાબર ગણવામાં આવ્યું અને તે સિવાય બીજાં પોતાને કરવાનાં કામો હતાં તે સર્વ સુરતમાં આટોપી લઈને રાજા જિનમંદિરમાં આવ્યા. પછી બાકીનાં બીજાં સર્વ કાર્યો કરીને અને જગદ્ગુરૂ શ્રી જિનેશ્વર દેવની પૂજા કરીને સર્વેએ ગુરૂમહારાજ પાસે આવી પોતાના વિચાર ગુરૂમહારાજશ્રી પ્રબોધનરતિ આચાર્યને જણાવ્યા. ગુરૂમહારાજે બહુ મધુર શબ્દોમાં મીઠાશથી કહ્યું કે “આ બાબતમાં હવે જરા પણ વિલંબ કરી સંસારમાં રહેવું ઠીક નથી.” પછી કેટલાક સુંદર શબ્દો વડે સર્વને ધન્યવાદ આપ્યો અને જેમનાં પાપ ધોવાઈ ગયેલાં હતાં એવા ગુરૂમહારાજે જૈન આગમમાં બતાવેલી વિધિ પ્રમાણે સર્વને તુરતજ દીક્ષા આપી. તે વખતે સર્વને વૈરાગ્ય વધારવા માટે અને તે પ્રમાણે કરવું શાસ્ત્રાનુસાર હોવાથી આચાર્ય મહારાજે ટુંકી દેશના આપી. - આચાર્ય મહારાજની દેશના આદિ અને અંત વગરને આ સંસાર જેમાં જન્મમરણ વારંવાર થતાં હોવાથી જે ઘણે ભયંકર લાગે છે તેમાં તીર્થકર મહા“રાજના મતની દીક્ષા લેવી તે પ્રાણીને માટે ઘણું મુશ્કેલ છે. એ ૧ નિશ્ચિાઃ શબ્દ અત્ર મૂળમાં છે. જેનામાંથી મિથ્યાત્વને ભાવ નાશ પામી ગયો છે તેવા. ૨ તે પ્રમાણે કરવાને કલ્પ લેવાથી. વૈરાગ્યમાં સ્થિર કરવા એ ગુરૂમહારાજની ફરજ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy