SearchBrowseAboutContactDonate
Page Preview
Page 513
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦૨ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ ૩ 66 “ પાપચરિત્ર છે'. પાપી માણસાની દૃષ્ટિમાં વિકાર હેાવાથી તેઓ શુદ્ધ રૂપને તથાસ્વરૂપે જોઇ શકતા નથી. હે પ્રભુ! રાગ દ્વેષ અને મહામેા“ હને સૂચવનાર અનુક્રમે હાસ્ય, ક્રોધ, વિલાસથી વિયુક્ત અને અક્ષમાળા ‘ રહિત હું પાપ વગરના નાથ ! તમને નમસ્કાર છે. હે પ્રભુ ! તમે “અનંત ગુણાથી ભરપૂર છે, તેથી તમારી સ્તુતિ હું શી રીતે કરી .. .6 શકું ? હું તે મંદ બુદ્ધિવાળા છું, પરંતુ મારા મનમાં જે શુભ “ ભાવના છે અને જેને હું બેાલી શકતે! નથી, તે તમે પોતે સારી રીતે જાણેા છે; તે। હવે કૃપા કરીને ભવપરંપરાના છેદ કરનારી તમારી નિશ્ચયભક્તિ મારા ઉપર દયા કરીને મને ભવે ભવ જરૂર આપો. ” .. .. આવી રીતે ત્રિલોકનાથ શ્રી યુગાદિદેવની સ્તુતિ કરતી વખત સુબુદ્ધિ મંત્રીએ જિનમુદ્રા ધારણ કરી હતી. વચ્ચે વચ્ચે વારંવાર તે પ્રભુને પગે લાગ્યા કરતા હતા. આખરે મુક્તાશક્તિમુદ્રા' ધારણ કરીને અતિ સુંદર રીતે જયવિયરાય સ્તોત્રથી તેમણે પ્રભુની સ્તુતિ ૧ પાપચિરત્રઃ કોઇ અંધ માણસ સૂર્ય ન દેખી શકે તે તેમાં સૂર્યના દોષ નથી તે નિયમ પ્રમાણે. અભનું અધમ ચરિત્ર પ્રભુને સત્ય સ્વરૂપે જોઇ શકતું નથી. ૨ હાસ્ય ક્રોધ વિલાસ અક્ષમાળાઃ રાગને સૂચવનાર હાસ્ય, દ્વેષને સૂચન વનાર ક્રોધ અને મેહને સૂચવનાર વિલાસ પ્રભુને હાતા નથી. મતલખ તે હાસ્ય ક્રોધ અને વિલાસ જેવા સ્થૂળ ભાવ વગરના છે, તેનાથી રહિત છે અને તેથી સ્થૂળ સાંસારિક પ્રાણીએથી ઊંચી હદે ગયેલા છે. તેને જાપ કરવા લાયક અન્ય દેવ કાઇ નથી એ ભાવ અક્ષમાળાની ગેરહાજરી ખતાવે છે એમ મને લાગે છે. ૩ જિનમુદ્રાઃ દેવવંદનભાષ્યમાં જિનમુદ્રાનું સ્વરૂપ નીચે પ્રમાણે આપ્યું છે: “ ચાર આંગળ જેટલું અંતર એ પગના આગળના ભાગમાં અને તેથી કાંઇક ન્યૂન અંતર પાછળના ભાગમાં રાખી બન્ને પગે સીધા ઊભા રહેવું-એમ કરવાથી જિનમુદ્રા થાય છે. (દેવવંદનભાષ્ય-ગાથા ૧૬ મી.) C . ૪ મુક્તામુક્તિ મુદ્રા: તેનું સ્વરૂપ આપતાં કહે છે કે “ હાથની આંગળીને અન્યાન્ય આંતર્યા વગર બન્ને હાથ પેાલા જોડી રાખીને લલાટસ્થળે (કપાળે) સ્થાપવા અથવા અન્ય આચાર્યોના મત પ્રમાણે લલાટથી દૂર રાખવા તેને મુક્તાશક્તિ મુદ્રા કહે છે. ( દેવવંદનભાષ્ય-ગાથા ૧૭ મી. ) ભાષ્યકારના મત પ્રમાણે પંચાંગ પ્રણામ અને સ્તવપાઢ ( નમુથુણં ) વિગેરે જોગમુદ્રા ’ થી કરવામાં આવે છે. એમાં હાથની દશે આંગળીઓને માંહેામાંહે આંતરી કમળના ડાડવાની જેમ બન્ને હાથ રાખી હાથની કાણીએ પેટ પર રાખવામાં આવે છે ( સદરગાથા ૧૫ મી ). દ્વાદશાવતું વંદન અને કાઉસગ્ગ જિનમુદ્રાથી કરાય છે અને ત્રણે પ્રણિધાન ( જાવંત કેવી સાહૂ, જાવંતિ ચૈઇયાઇ અને જયવિયરાય ) મુક્તાક્રુક્તિ મુદ્રાથી કરાય છે સદર ગાથા ૧૮ મી). મંત્રીએ સ્તુતિ ઊભા ઊભા જિનમુદ્રાએ કરી છે અને ત્યાર પછી યાગમુદ્રાએ શસ્તવ કહ્યું છે તે વાત પ્રથમ કરી ગયા છે; છેવટે મુક્તાણુક્તિમુદ્રાથી જયવિયરાય કહ્યા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy