SearchBrowseAboutContactDonate
Page Preview
Page 510
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧૩ ] પ્રબેાધનરતિ આચાર્ય. ૪૬૯ ભક્તિથી તેનાં સર્વ અંગેામાં એક પ્રકારના અપૂર્વ ઉત્સાહ ઉત્પન્ન થયો. વળી તેણે તીર્થકર મહારાજને જમીનપર હાથ અને પગ લગાડીને વંદન કર્યું ( પંચાંગ પ્રણામ કર્યા ) તે વખતે તેના મનમાં એવી સુંદર ભાવના થઇ આવી કે આ પ્રાણીને સંસારઅરણ્યમાં તીર્થંકર મહારાજના દર્શન કે વંદનનો લાભ મળવા અત્યંત મુશ્કેલ છે. આવી ભાવનાથી તેનું મન બહુ નિર્મળ થઇ ગયું, આનંદજળથી તેની આંખા ભરાઇ ગઇ અને તે નેત્રજળ વડે તેણે પોતાના પાપ રૂપ કાદવને ધોઇ નાખ્યા. ત્યાર પછી ભગવાનના કિંમ ઉપર દૃષ્ટિ સ્થાપન કરીને પંચાંગ પ્રણામ (ખમાસમણ ) ને છેડે પોતે જમીનપર બેઠો અને ભક્તિપૂર્વક શક્રસ્તવ એક્લ્યા. પછી હાથથી આંગળીઓને અંદર અંદર કમળના ડોડવા પેઠે મેળવી બે હાથની કાણીઓને પેટ ઉપર સ્થાપન કરીને-યોગમુદ્રા પૂર્વક એકાગ્ર ચિત્ત કરી-લય લગાવીને અતિ મધુર વાણીથી ભુવનદેવશ્રી યુગાદિનાથની સ્તુતિ અનન્ય મન વડે કરવા લાગ્યોઃસુબુદ્ધિ મંત્રીએ કરેલી ચુગાદિદેવની સ્તુતિ, 6. • હું જગદાનંદજ ! ( જગને આનંદ આપનાર ! ) મોક્ષમાર્ગ · વિધાયક ! (સર્વ કર્મથી મુક્તિ મેળવવાના માર્ગ બતાવનાર!) તમને નમસ્કાર છે. હું જિનેંદ્ર ! વિદિતઅશેષભાવ !` ( જેમને સર્વ ભાવે ઃઃ જણાયલા છે તેવા હે પ્રભુ !)*સદ્ભાવનાયક ! ( સુંદર ભાવેને * ૧ શકસ્તવઃ નમુક્ષુણ્ણ એ શક્રસ્તવના નામથી એળખાય છે, એમાં તીર્થંકર મહારાજની સ્તુતિ છે. પ્રથમના બે પ્રતિક્રમણમાં આવે છે. ૨ ચોગમુદ્રાઃ દેવવંદન ભાષ્યમાં યાગમુદ્રાનું સ્વરૂપ આ પ્રમાણે બતાવેલું છે. બન્ને હાથની દશ આંગળીઓને માંહેામાંહે અંતરીત કરીને બન્ને હાથેાને કમળના ડોડવાના આકાર પેઠે જોડવા અને આખા હાથની કાણીઓને પેટ ઉપર લગાડવી. ( દેવવંદન ભાષ્ય—ગાથા ૧૫ મી.) ૩ અનન્ય મનઃ એકચિત્ત; બીજી જગાએ-જ્યાં ત્યાં-નહિ ભમતું મન. ૪ જગદાનંદ, મોક્ષમાર્ગવિધાયકઃ માક્ષમાં કોઇ પણ પ્રકારનું દુઃખ નથી, નિરંતર આત્માનંદ વર્તે છે-તે માર્ગને બતાવનાર તીર્થંકર મહારાજ હેાવાથી તે જગતને આનંદ આપનાર છે. ૫ વિદિતઅશેષભાવઃ થઇ ગયેલાં, થતાં અને થવાનાં સર્વ ભાવેને જાણનાર પ્રભુ છે, તેએથી કાઇ ભાવ અજાણ્યા નથી, અને તેવા અદ્ભુત જ્ઞાનખળને કારણે તેએ નમનને યોગ્ય છે. ૬ સદ્ભાવ: સદ્ભાવાના તે બતાવનાર છે. ખરાબ ભાવ તેએ બતાવતા નથી, જો કે સર્વ ભાવેાને તેઓ જાણે છે ખરા. લેાકનાયક ઇંદ્ર કે ચક્રવર્તી તે સ્થૂળ નાયક છે, ભાવ ઉપર તેઓનું આધિપત્ય નથી. તેથી પ્રભુની ઇંદ્રાદિકથી પણ વિશેષતા છે એ ભાવ અત્ર બતાવ્યા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy