SearchBrowseAboutContactDonate
Page Preview
Page 395
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૪ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ ૩ વડાં લઇને આવ્યો. તેણે મને કહ્યું “મારી શક્તિથી તૈયાર કરેલા આ વડાં છે. એને ખાવાથી તે ઘણી શક્તિ-તાકાત-કૌવત આપેછે, પ્રાણીની ઇચ્છા પ્રમાણે આયુષ્ય લાંબુ કરે છે અને બીજી જે કાંઇ ઇચ્છા કામના-હાય તે સર્વ તે પૂરી પાડે છે. આ પ્રમાણે હાવાથી આ વડાં તું ખા. ני આ પ્રમાણે અમારા બેની વચ્ચે વાતચીત ચાલતી હતી ત્યારે ખાજીના આરડામાં રહેલ કોઇ પુષે મંદ અવાજે કહ્યું તારા ઇચ્છિત સ્થાનકે હવે તે ઉત્પન્ન થશે એમાં શે! શક છે?” "C ન આ પ્રમાણે કાઇ ન ઝીણા સ્વરથી બાલ્યું તેથી મારા સાંભળવામાં આવ્યું નહિ; પણ વૈશ્વાનરે તે સાંભળ્યું અને તેના મનમાં વિચાર થયો કે ‘ અહો મારી ઇચ્છા પૂર્ણ થશે! મારાં તૈયાર કરેલાં વડાં ખાવાથી આ નંદિવર્ધન મહા નરકમાં જશે. ત્યાં જશે અને વળી ત્યાં તેનું લાંબું આયુષ્ય થશે. એમ ન હોય તે આવા આંતર ધ્વનિના અર્થ બીજો શો હોઇ શકે? મહા નરકજ મને તે પસંદ આવે તેવું સ્થાન છે.’ આવા વિચારથી પોતાનાં વડાંના પ્રયોગથી હું( નંદિવર્ધન ) મહા નરકમાં લાંબા વખતને માટે જઇશ એમ જણાતાં મારા મિત્રના મનમાં અહુ સંતેાષ થયા. અમારા બન્ને વચ્ચે ત્યાર પછી નીચે પ્રમાણે જરા વધારે વાતચીત થઇ. મેં કહ્યું—‹ તારા જેવા મિત્ર મારે અનુકૂળ હશે તે મારૂં શું ઇચ્છિત નહિ થાય ?” મારાં આવાં વચન સાંભળીને વેશ્વાનર એવડો ખુશી થયા અને મને વડાં આપ્યાં. તુરતજ તે વડાં મેં લઇ લીધાં. વડાનું ખાદન; તે વડાં આપીને તેણે મને કહ્યું “ મારા ઉપર તારે વૈશ્વાનરને આનંદ. એક બીજી પણ મહેરબાની કરવી પડશે. જ્યારે જ્યારે કોઇ પ્રસંગ-તક-અવસર પ્રાપ્ત થાય અને હું દૂર રહીને તને સંજ્ઞા ( નિશાની ) કરૂં ત્યારે તારે જરા પણ સંકલ્પ વિકલ્પ કર્યાં વગર આ વડાંઓમાંથી એક વડું ખાઇ લેવું. ” મેં જવાઅમાં હસતાં હસતાં જણાવ્યું “ આ માખતમાં પ્રાર્થના કરવા જેવું શું છે? મારા પ્રાણા-મારો આત્મા-મારૂં સર્વસ્વ મેં તે તને સોંપી દીધેલ છે તેા પછી તારે મારી પ્રાર્થના કરવાનું કારણ કાંઇ પણ રહેતું નથી. ” ૧ તારા એટલે વૈશ્વાનરના, ઉત્પન્ન થશે એટલે જન્મશે. મતલખ તારાં વડાં ખાઇ ક્રૂર થઇ તે નરકમાં જશે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy