SearchBrowseAboutContactDonate
Page Preview
Page 312
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૩ . ભવ્યપુરુષ–સુમતિજન્મ, વી રીતે સંસારનાટક જોતાં અને નવા નવા ખેલેા કરાવતાં તે કર્મપરિણામ મહારાજા અને કાળપરિતિ દેવી આનંદમાં કાળ નિર્ગમન કરે છે. એક વખત તેઓ આનંદકલ્લોલ કરતાં એકાન્તમાં એઠાં છે તે વખતે મહારાણી રાજાને આનંદમાં જોઇ બેલી “ નાથ ! ભાગ ભાગવવા લાયક પદાર્થોને મેં ઘણી વખત ભાગ કર્યો અને પીવા લાયક સર્વ પદાર્થો જે આ સંસારમાં છે તે મેં ઘણી વાર પીધા અને માન્ય કરવા ચેાગ્યને માન આપીને ઘણા અભિમાનથી ભરપૂર ઈર્ષ્યા ઉત્પન્ન કરે તેવું જીવન વહન કર્યું. હે પ્રભુ ! આપની કૃપાથી આ દુનિયામાં એવું કાઇ પણ સુખ બાકીમાં નથી કે જે સુખના સ્વાદ મેં ચાખ્યા ન હેાય. મારા નાથ ! આપની કૃપાથી હું સર્વ કલ્યાણ પ્રાપ્ત કરી ચૂકી છું, આ દુનિયામાં દેખવા લાયક સર્વ પદાર્થો આપની કૃપાથી હું જોઇ ચૂકી છું, માત્ર અત્યાર સુધી મેં પુત્રનું મુખ જોયું નથી એટલું બાકી છે, તેથી જો આપશ્રીની કૃપાથી મને એક પુત્ર થઇ જાય તેા મારૂં જીવતર સફળ થાય, નહિ તો આ જીવન બધું નિષ્ફળ છે. ’ આ 28 દેવીને પુત્રપ્રાપ્તિની ઇચ્છા. રાજા દેવિ ! તેં બહુ સારી વાત કરી, તે વાતને ઠીક યાદ કરી, મને પણ તે વાત બહુ ગમી ગઇ છે. સર્વ કાર્યમાં આપણે એકસરખાં સુખી દુ:ખી થઇને રહીએ છીએ, તેથી વહાલી ! આ મામતમાં તારે જરા પણ ખેદ કરવા નહિ, કારણ કે જે ખાખતમાં આપણા બન્નેને એકમત થાય છે તે કામ તરતજ જરૂર બની આવે છે.” કાળપરિણતિ–“પ્રભુ ! આપે બહુ ઠીક કહ્યું અને મારા ઉપર Jain Education International ૧ કર્મપ્રકૃતિ સત્તામાં હેાય અને તેની સ્થિતિ પાકે ત્યારે તે જરૂર ઉદયમાં આવે છે, For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy