SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ આપણે જોયું કે ત્રણ વર્ગ છે – દિવ્યતાપ્રધાન, માનવતાપ્રધાન અને પશુતાપ્રધાન. વિવેક, વિચાર અને વૃત્તિ એ એમનાં પ્રેરક તત્ત્વો છે. માણસે એ ચિંતન કરવાનું છેઃ પોતે ક્યાં છે; પોતાનું ધ્યેય શું છે અને અહીં આવવાનો હેતુ શો છે ? પ્રભુ મહાવીરે એ જ પૂછ્યું, “તું કોણ છે એ તો જાણ, અને તું અહીં શા માટે આવ્યો છે તે તો કહે ? આ બે વાતનું આપણે ઊંડાણથી ચિંતન કરીશું તો લાગશે કે આપણે કોણ છીએ તે આપણે ખુદ જ જાણતા નથી. આપણે આપણને જાણવા માટે પ્રયત્નશીલ પણ નથી, ત્યાં અહીં આવવાનું પ્રયોજન શું કે હેતુ શો તેનો વિચાર કરવાનો તો અવકાશ જ ક્યાં ? માણસના અંતરમાં વિવેકનો દીપક પ્રગટે તો જ તેના પ્રકાશમાં તે આ વસ્તુને સ્પષ્ટ રીતે જોઈ શકે, અને પોતામાં રહેલી પ્રભુતાનો અનુભવ કરી શકે. આ પ્રભુતાનું દર્શન એકદમ નથી થતું. માણસ શાન્ત પ્રહરમાં ઊંડાણમાં ઊતરી આત્મનિરીક્ષણ કરતો રહે કે હું વૃત્તિપ્રધાન છું, વિચારપ્રધાન છું કે વિવેકપ્રધાન છું ? મારી પ્રવૃત્તિનું પ્રેરક બળ વૃત્તિ છે, વિચાર છે કે વિવેક આ રીતે ચિંતન વધતાં માણસને લાગશે કે દરેકેદરેક આત્મામાં પ્રભુતા પોઢેલી છે, માત્ર એણે પ્રયત્નશીલ થઈ એને જગાડવાની છે. જાગૃતિના પ્રભાતમાં જ એ પ્રભુતાનું દર્શન લાધશે. આજનો દિવસ પૂર્ણિમાનો છે. સંતો ચાર મહિના સુધી ચિત્તનસ્વાધ્યાયથી પુષ્ટ બની આજે હવે ગામેગામ આ ચિન્તનપ્રવાહને વહાવવા સરિતાની જેમ સહજ ફુરણાથી વિહરી રહ્યા છે. વિહારમાં એમના જ્ઞાનમાંથી વહેતી પ્રભુતાની આ દિવ્યસુધા સૌને પ્રાપ્ત હો એ મહેચ્છા.* * તા. ૯-૧૧-૧૯૭૫ના રોજ મુંબઈના “જ્યોતિસદનમાં આપેલું પ્રવચન. ૮૬ * જીવન-માંગલ્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002142
Book TitleJivan Mangalya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Devnagari & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy