SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકૃતિ અને માનવહૃદયની મહત્તાને ગાનારો આ મહાકવિ પણ અહીં કેવો ગમગીન છે ! આવી ગમગીનીમાં શાંતિ કોણ આપે ? અરણ્ય જેવી એકલતામાં આશ્વાસન કોણ આપે ? માણસ સમ્યગ્દર્શન દ્વારા જીવનના આવા દુ:ખદ પ્રસંગોને પણ એક જુદી જ દૃષ્ટિથી, એક જુદા જ ભાવથી આવકારી શકે. મને યાદ છે, આજથી લગભગ પંદર વર્ષ પહેલાં એક વાર અમે મિત્રો નાસિક પર્યટન માટે ગયેલા, ત્યાં રસ્તામાં રોગિષ્ઠ દશામાં એક સાધુ બેઠો હતો. તેના શરીર પરનાં ગૂમડાં પર કીડા ખદબદતા હતા. કીડા એટલા બધા હતા કે ગૂમડામાંથી ગબડીને નીચે પડે. પણ પેલો સાધુ બહુ જબરો ! નીચે ગબડેલા એ કીડાને ઊંચકીને ગૂમડા પર મૂકતાં કહે : “અરે, બાહર કહાં જાતા હૈ ? બૈઠ ઈધર, બાહર ભૂખા મર જાયગા.' આવી રીતે ગૂમડાં ખદબદે છે, છતાં એ મસ્ત છે. એની મસ્તીનું કારણ એ જ કે દુ:ખને સ્વેચ્છાપૂર્વક સ્વીકારવાનું એની પાસે આત્માનું દર્શન છે. ભગતસિંહને ફાંસીએ ચઢાવતા પહેલાં માફી માગવા સમજાવ્યા. પણ એણે તો દેશાભિમાનની મસ્તીમાં એક જ કહ્યું : “કોઈ પણ દેશનો નાગરિક પોતાના દેશની આઝાદી માટે જે કરે છે તે જ મેં મારા દેશ માટે કર્યું છે, અને તે બરાબર છે.” એમ કહી ફાંસીના દોરડાને પણ ફૂલની માળા ગણીને એ ભેટી પડ્યા. આવી ફનાગીરી અને આવી ખુમારી માણસમાં ક્યારે આવે ? કોઈ પણ ઉદાત્ત હેતુ માટે માણસ નિર્ણય કરે છે, ત્યારે જ એનામાં અર્પણનો આવો આતશ પ્રગટે છે. આ મસ્તી, આ આતશ રૂપિયાથી, સત્તાથી નથી મળતો, પણ આત્માની પ્રામાણિક નિષ્ઠામાંથી પ્રગટે છે. અને તે પ્રસંગે મૃત્યુનો પણ એક પ્રકારનો આનંદ માણી શકાય છે – માળ છોડી અનંત ગગનમાં ઊડતા પંખી જેવો. આત્મપંખી ! તું ગગનવિહારી છે, અનંત આકાશમાં ઊડનાર તું મુક્ત પંખી છે. માળામાં તું વસે છે પણ માબો એ તું નથી. માળો તારાથી ભિન્ન છે. તું તારા માળાને સ્વચ્છ અને સુંદર રાખજે. કાંટા-ઝાંખરાં લાવીને તારા માળામાં ન ભરતો, નહિ તો અવસરે તું જ એમાં ભરાઈ જઈશ. ઊડવા ધારીશ ત્યારે નહિ ઊડી શકે. અને તારા માળાનાં દ્વાર પણ મોટાં રાખજે કે જેથી ઊડતી વખતે તારી પાંખોને ઈજા ન થાય. માણસો ઈંટ-ચૂનાથી ઘર બાંધે છે. પંખીઓ માળો ઘાસથી બાંધે છે – દેહને રહેવાનો માળો ઇંટ, ચૂના ને માટીથી બંધાય. પણ રે, આપણા આત્માનો માળો ક્યો ? આ દેહ એ આત્માનો માળો છે. પંખી જેમ માળાને મૂકીને ઊડે જીવનમાંગલ્ય * ૫૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002142
Book TitleJivan Mangalya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Devnagari & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy