SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ કરો, દેશાટન ન કરો તોપણ મરી શકાય છે. શું અભણ નથી મરતા ? અભણ પણ મરી શકે છે. વિદ્યાવાન તો એમ કહે છે કે પછી અમર બનીશ, મૃત્યુ સામે યુદ્ધ કરીશ, વૃત્તિઓ પર વિજય મેળવીશ. જીવનમાં પ્રેમ, પ્રકાશ અને શ્રદ્ધાને ભરીશ અને મૃત્યુને તરી જઈશ. વિદ્યા તો મૃત્યુને જીતવા માટે છે. એક કવિ કહે છે : ‘હસી મૃત્યુમુખે ધસવાનું જ દે, ધી મૃત્યુમુખે હસવાનું જ દે. વિદ્યાવાનમાં જીવનની ખુમારી જોઈએ. સુખમાં કે દુ:ખમાં; સંપત્તિમાં કે વિપત્તિમાં, સંગમાં કે વિયોગમાં પોતાના આત્માની અને પોતાના મનની મસ્તી ન ગુમાવે તે જ અભ્યાસી. તે જ વિદ્યાવાન. પણ પ્રકૃતિના રહસ્યને જાણનાર માણસ ઉનાળો આવતાં અકળાતો નથી, શિયાળો આવતાં ફરિયાદ કરતો નથી; કે વર્ષાકાળ આવતાં બબડાટ કરતો નથી. એ જાણે છે કે આ તો ઋતુ-ઋતુના ખેલ છે. શિયાળામાં ટાઢ પડે છે, ઘઉં ને કપાસ એમાં જ તૈયાર થાય છે. વર્ષામાં વૃષ્ટિ થાય અને કીચડ થાય પણ જુવાર-બાજરી એમાં જ પાકે છે. ઉનાળામાં તડકો પડે છે અને મીઠી કેરીઓ અને રાયણ એ ઋતુમાં જ પાકે છે. તેમ દુઃખ, વિપત્તિ, વિયોગ પણ માણસને ઘડવા આવે છે. એથી માણસની કસોટી થાય છે. માણસનું હીર આવા સંયોગોમાં જ પ્રગટે છે. સાચો અભ્યાસી દુ:ખને પણ કુદરતની પ્રિય ભેટ માની હસતા મુખે એનું સ્વાગત કરે છે. એ સમજતો હોય છે કે આજનું દુ:ખ એ મારી ગઈકાલની ભૂલનું જ પરિણામ છે. એક ભૂલને સુધારવી હોય તો બીજી નવી ભૂલ ન કરવી, દુ:ખ વખતે અફસોસ કરવો એ જૂની ભૂલમાં નવી ભૂલનો ઉમેરો કરવા બરાબર છે. પણ કેટલાક માણસો આ વાતનો વિચાર કર્યા વિના કેવળ ફરિયાદ જ કરતા ફરતા હોય છે. વરસાદ આવે તો કહે : ‘આહ ! શું વરસાદ છે ! બંધ થતો જ નથી. મારી નાખ્યા.' ટાઢ પડે ત્યારે કહે : ‘શું ટાઢ પડે છે ! ચામડાં ચિરાઈ ગયાં.’ તાપ પડે ત્યારે કહે : ‘તડકો પડે છે કાંઈ તડકો ! ધરતી તો ભડકે બળી રહી છે !' આમ રોદણાં રોયા જ કરે; પણ આ તો ઋતુના ખેલ છે, એમ ન સમજે. તેમ કેટલાક માણસો પણ જીવન અંગે રોદણાં જ રોતા હોય છે. કોઈ પુત્ર માટે તો કોઈ પત્ની માટે; કોઈ ધન માટે તો કોઈ ધંધા માટે. પણ ફરિયાદ કર્યા વિના જ પુરુષાર્થ ક૨વો જોઈએ, એમ ન વિચારે. આવા સંયોગોમાં માણસને સાચી વિદ્યા મળે તો જ માણસ જીવનનાં તત્ત્વોને સ્પર્શી શકે. અને દુ:ખમાં તાપને, પણ જીવનના ઘઉં પકવવાનું સાધન Jain Education International જીવન-માંગલ્ય * ૫૩ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002142
Book TitleJivan Mangalya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Devnagari & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy