SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ પણ આત્માનું પોષણ ન કર્યું. દેહનું પોષણ તો કૂતરાં-બિલાડાં પણ કરે છે. માનવીનું ગૌરવ બાળકોના માત્ર દેહનું પોષણ કરવામાં જ નથી. માણસનું ગૌરવ પોતાના સંતાનને સંસ્કારી ને તેજસ્વી બનાવવામાં છે. મારી આ વાત તમને આજ કદાચ કડવી લાગશે, પણ તે સત્ય છે. વિચારી જોજો. આજ નહિ તો કાલે જરૂર સમજાશે. મદાલસા પોતાના બાળકને પારણામાં ઝુલાવતી પણ ગાતી : શુદ્ધો સિ વૃદ્ધોદસિ નિરંગનોડસ | વત્સ ! તું સિદ્ધ છો. સિદ્ધિઓ તારામાં છે. તું બુદ્ધ છો. બુદ્ધિ – પ્રજ્ઞા તારામાં છે. તું નિરંજન છો. તને કોઈ વાસનાને રંગે રંગી શકે તેમ નથી, તું મુક્ત છો. તને બાંધનાર આ વિશ્વમાં એકેય તત્ત્વ નથી. તું સ્વતંત્ર છો, મુક્ત છો, હાલરડામાં જ જે બાળકને આવું મુક્તિનું ગીત સાંભળવા મળે, તે યુવાન તેજસ્વી, ત્યાગી કે પ્રતાપી કેમ ન બને ? આજનો યુવાન એ આશાની જ્યોત નથી, પણ નિરાશાનો દરિયો છે. એનામાં જીવનની ખુમારી નથી, પણ વાસનાની બીમારી છે. - જે દેશના યુવાનો વિલાસી વાતાવરણમાં ઊછરે છે, તે દેશની પ્રજા ધીમે ધીમે નિર્વીર્ય થઈ જાય છે. પ્રજાને મહાન બનાવવા યુવાનો સામે આદર્શ જોઈએ. એમની સામે સંયમનાં પ્રતીકો જોઈએ. જ્યાં એમને ઘડવામાં આવે છે, એમને કેળવણી આપવામાં આવે છે, એ સ્થાનો કેવાં હોવાં જોઈએ ? ત્યાં વિલાસ અને વિકારની હવા હોય તે પાલવે ? પણ આજ તમે જોશો તો વિદ્યામંદિરોમાં પણ કટ અને વટ સિવાય વાત નથી. આપણે કૉલેજોને વિદ્યામંદિરો કહીએ છીએ, પણ મંદિરને અનુકૂળ સંયમ અને પવિત્રતાથી ભરેલું વાતાવરણ છે ? અને કેળવણી શા માટે લેવામાં આવે છે તેનું ધ્યેયચિત્ર પણ વિદ્યાર્થીઓ સમક્ષ ક્યાં છે ? “જ્ઞાનસ્થ ને વિરતિઃ” – જ્ઞાનનું ફળ વૃત્તિઓનો વિરામ છે. જ્ઞાન મળે તો વિરામ આવવો જોઈએ, પણ આજે એવું દેખાય છે ? વિદ્યાર્થીઓમાં શિસ્ત ને સભ્યતા છે ? આજે માણસ વૃત્તિઓથી વિરમવા માટે નથી ભણતો, પણ વૃત્તિઓના તાંતણા કરોળિયાની માફક વધારે ને વધારે કઈ રીતે કાઢી શકાય એ માટે ભણે છે. સીધી ભાષામાં કહીએ તો એમ કહી શકાય કે ગુનો કરીને છુપાવવો કેમ, અસત્યને સત્ય બનાવવું કેમ, એ માટેનું કૌટિલ્યશાસ્ત્ર ભણે છે. એક ભાઈને મેં પૂછ્યું : “તમારા અભ્યાસનું ધ્યેય શું ?” એ કહે : “સાહેબ, ધ્યેય વળી શું ? આજકાલ કાયદા વધી પડ્યા છે. ભણીએ નહિ તો એ કાયદાઓમાંથી બારી ક્યાંથી જડે ? હવેના જમાનામાં વકીલોના આધારે જીવન-માંગલ્ય * પ૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002142
Book TitleJivan Mangalya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Devnagari & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy