SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ પેલો માણસ નરમ સ્વભાવનો હતો. એને થયું, એમનું કહેવું સાચું છે, મારે એવી આસક્તિ રાખવી ન જોઈએ. એ તો એનો એ ગોળ લઈને પત્ની પાસે આવ્યો ને બધી વાત કરી. પત્નીને ખૂબ આશ્ચર્ય થયું ! પૂછ્યું : “એમણે ધોળા ગોળના પૈસા લીધા હતા કે કાળા ગોળના ? એ આપણને ગોળમાંથી આસક્તિ કાઢી નાખવાનું કહે છે. પછી એ પૈસામાં શા માટે આસક્તિ રાખે છે ?’’ કહો, કથાકારનો આત્મા ઊંચો કે પેલાં ગ્રાહક પતિ-પત્નીનો ? માત્ર કથાકાર બનવાથી જ મહાન બની ગયાનો ગર્વ ન કરશો. કથાકારે તો જીવનની પળેપળ સામે સાવધાન રહેવાનું છે. આજે કેટલાક વક્તાઓ છાતી કાઢીને ફરે છે ને એમ માનીને ગર્વ લે છે કે એમના લીધે જ દેશનું સુકાન ચાલે છે. સાચી વાત તો એ છે કે દેશનું સુકાન ધર્મભાવનાને લીધે ચાલે છે. માનવી જો ધર્મભાવના વિનાનો હશે તો wild ને ગાંધી કે કૅનેડી જેવા મહાન પુરુષોને પણ ગોળી મારશે. ધર્મ જ માનવીને માનવતામાં રાખે છે. ધર્મ વડે માનવી ઉન્નત બને છે. - આપણે ખરેખરા માનવ છીએ ખરા ? છાતી પર હાથ મૂકીને જો સાચું બોલીશું તો, આપણે કબૂલવું પડશે કે આપણે માનવદેહ લઈને ફરીએ છીએ પરંતુ આપણામાં હજીય પશુતા પડેલી છે. શિયાળની લુચ્ચાઈ, ઉંદરનો લોભ ને કાગડાની કુદૃષ્ટિ માણસના લોહીમાં બેઠાં છે. જંગલી બની જશે મનુષ્યનો આકાર તો લઈને બેઠા છીએ, પરંતુ મનુષ્યત્વ ક્યાં છે ? માટે જ કહું છું કે મનુષ્યમાં મનુષ્યત્વ પ્રગટાવવું ને ટકાવવું હોય તો, તેમનામાં ધર્મભાવના પ્રગટાવો. ધર્મના પ્રકાશ વડે જ નિર્માલ્ય હશે તે નરવીર બનશે, પૈસા કે સત્તા વડે નહિ. Jain Education International પ્રધાનો જ્યારે ઘેર બેસે છે, ને ઇલેક્શનમાં સ્થાન નથી મળતું, ત્યારે જોશીઓ પાસે જઈને પોતાનું પ્રધાનપદ ક્યારે પાછું મળશે એ પૂછે છે. કેટલી નિર્માલ્યતા ? ધર્મ નિર્માલ્યને નરવીર બનાવે છે. ધર્મ વિના નરવી૨ નિર્માલ્ય બને છે. માટે જ, આપણે ધર્મમય જીવન જીવવું છે. ૨૨ * જીવન-માંગલ્ય For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002142
Book TitleJivan Mangalya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Devnagari & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy