SearchBrowseAboutContactDonate
Page Preview
Page 305
Loading...
Download File
Download File
Page Text
________________ આજે જે બહેનો અને ભાઈઓમાં વિષાદ છે, Depression અનુભવાય છે, હિસ્ટીરિયા આવે છે, તે બતાવે છે કે તેમના વિચારોમાં કંઈક અવ્યવસ્થિત તત્ત્વ રહેલું છે, જેને લીધે એમનું સમત્વભર્યું વ્યક્તિત્વ નષ્ટ થયું છે. દુનિયામાં તો આજે જે પોતાના વિચારોને સંતાડી જાણે છે, તે લોકો મુત્સદ્દી ગણાય છે. જે હોય તે બોલે નહિ; જે બોલે તે હોય નહિ – આવી હવા પામી છે. એક ભાઈએ મને પુસ્તક આપ્યું. એનું નામ હતું : “How to win Friends and Influence People.” મેં એમને કહ્યું : “આ પુસ્તક આત્માના વ્યક્તિત્વને પ્રગટ કરવાનું નથી શીખવતું પણ માત્ર polished કેમ બનવું તે બતાવે છે. એમાં સાચા બનવા કરતાં સારા દેખાવા પર વધુ વિવેચન છે. સભ્યતા રાખો એ સારી વાત છે, પણ એ સભ્યતા સહજ રીતે અંદરથી આવવી જોઈએ. સભ્યતા રાખવા ખાતર રાખવી, એનો અર્થ દંભ પણ થાય. આજે યુરોપના “વેરી ફાઇન', “નાઇસ', “થેન્ક યુ' જેવા શબ્દો કેટલા પ્રચુર રીતે વપરાય છે ! પણ તે ફકત બાહ્ય વિવેક ખાતર જ વપરાય છે. આ શબ્દો જો સહૃદયતાથી બોલાય તો શ્રેષ્ઠ, પણ આચારના દંભરૂપે વપરાય તો ? હું માનું છું કે વિવેક માટે બોલાતા શબ્દોમાં વિવેક તો જોઈએ જ.” માણસના વિચારને સત્ય આકાર આપવા માટે, ઉચ્ચાર અને આચાર એ બે સાધનો છે. આ બે માધ્યમ દ્વારા માણસમાં રહેલું શુભ તત્ત્વ બહાર આવે છે. એના ભાવમાં રહેલું સૌંદર્ય ઉચ્ચાર દ્વારા આકાર લે તે જ ઉદ્દેશ છે. પણ હું તો જોઉ છું કે કેટલાક લોકો સડી ગયેલા શાકના ભાગને સમારતી વખતે કાપીને ફેંકી દે છે, પણ સડેલા વિચારોને સંગ્રહી, મનની અંદર રાખી મૂકે છે. કેટલાક લોકો એકાન્ત મળે અને એકલા હોય ત્યારે એવું વાચન વાંચે કે સભ્ય વ્યક્તિ તો એ જોતાં પણ ક્ષોભ પામે. આ એકાન્ત શાને માટે છે ? શુભ વિચારોને અશુભ કરવા માટે ? વિચાર એ તો વ્યક્તિનો પાયો છે. પાયો અશુભ હોય તો ઇમારત શુભ કેમ બની શકે ? પ્લેટફોર્મ પર જુઓ. એક ટ્રેન અમદાવાદ તરફ જનારી હોય છે તો બીજી પંજાબ તરફ. લોકો એક જ પ્લેટફોર્મ દ્વારા અંદર આવે છે. તે વખતે પંજાબી અને ગુજરાતી પ્રવાસી સાથે હોય છે. બંને ગાડીઓ પણ પાસે પાસે ઊભી હોય છે. પણ ચાલુ થયા પછી બંને વચ્ચે ધીરે ધીરે અંતર વધતું જાય છે. એક અમદાવાદ પહોંચે છે, બીજી પંજાબ. તે પ્રમાણે વિચારોનું અંતર પણ પ્રારંભમાં નહિ દેખાય, પણ જીવનનું અંતર કપાતાં તે અંતર વધતું જાય છે. સંત પણ વિચારથી થવાય છે અને શેતાન પણ વિચારથી જ થવાય છે. સૌંદર્ય ૨૯૬ * જીવન-માંગલ્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002142
Book TitleJivan Mangalya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Devnagari & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy