SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ કરી એને તો એની ખબર પણ નથી. આ વાતનો ઊંડાણથી વિચાર કરશો તો થશે કે શા માટે હું બીજાની વાત કરવા જાઉં છું ? બીજાના પ્રશ્નોનો વિચાર કરવાનો મને શો અધિકાર ? અધિકાર હોય તો મારી કે મારી જોડે બેઠેલા હોય તેની વાત કરવાનો છે. માણસની મોટા ભાગની શક્તિઓ બીજાની ટીકા કરવામાં, બીજાના દોષ જોવામાં ખલાસ થઈ જાય છે. આવી નિંદાખોરીને કારણે સમાજમાં ઘણું નુકસાન થયું છે. જે સારા અને સાચા છે એમને માટે પણ હૃદયમાં ભાવ ન જાગે, થાય કે દુનિયા આવી જ છે તો આપણે પણ એવા કેમ ન બનીએ ? બીજાના દોષ જોવા, દુર્ગુણો જોવા અને બીજાની પંચાતમાં જીવનના કીમતી સમયને વેડફવો એના કરતાં જેને માટે તમને ખરેખર લાગતું હોય તેને જ કહો : “તમારામાં ઘણી સારી ટેવો છે એ જોઈ મારું મન તમારા પ્રત્યે આદર સેવે છે, પણ તમારી આ એક ટેવ મારા મનમાં ખૂંચે છે, એને દૂર કરો તો સુવર્ણમાં સુગંધ ભળ્યા જેવું થાય.” પણ એની ગેરહાજરીમાં વાત કરવી એ સંસ્કારી વ્યક્તિને અને એમાં પણ ધર્મીને તો શોભતી જ નથી. ધર્મને માત્ર ધર્મસ્થાનોમાં જ પૂરી ન રાખો, એને સંસારમાં વાળો, ધર્મ એ જીવનને પારદર્શક, શુભ્ર બનાવવાનો કીમિયો છે. શબ્દોને નિંદા કરવામાં વાપરો એના કરતાં આશ્વાસનના હૂંફાળા બે શબ્દો બીજાને શાંતિ આપવામાં વાપરો તો કેવું સારું ? તમારી પાસે પૈસો હોય; સાધનો હોય તો જે દુનિયામાં તમે રહેતા હો ત્યાં પાડોશીને જુઓ, માણસ માણસને કામ નહિ આવે તો કોણ કામ આવશે ? તકતી માટે ધન આપવા કરતાં તકલીફમાં ડૂબેલાં કુટુંબોને ખાનગી રીતે મદદ કરવામાં જ સાચી માનવતા છે. આવી મદદ કરનાર પ્રત્યે તો આદર પણ જાગે અને આશીર્વાદ પણ પ્રગટે. એક બહેન પહેલાં ગરીબોને સારી મદદ કરતાં હતાં પણ થોડા સમયથી એમણે એ બંધ ક૨ી હતી. એમને પૂછ્યું તો કહે, “હું હવે ગરીબોને મદદ નથી કરતી કારણ કે એક વાર એમનાં છોકરાંને મીઠાઈ લાવીને ખાતાં મેં જોયાં. મને થયું આ મદદને પાત્ર નથી.” t મેં કહ્યું, “તમારી જેમ એ મા નથી ? માનો જીવ છે, પેટે પાટા બાંધી, દુઃખ વેઠીને પણ કોઈ સારા દિવસે પેંડા લઈ એનાં ભૂલકાંને આપે. આ જોઈને તો તમારી આંખમાં અમી વરસવાં જોઈએ. તમને એમ થવું જોઈએ કે અમે Jain Education International પૂર્ણના પગથારે * ૨૬૧ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002142
Book TitleJivan Mangalya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Devnagari & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy