SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ એક ડોશી પોતાની દીકરીને લઈને જાય છે. રસ્તામાં ઊંટવાળાને જોઈને કહે છે કે મારી દીકરીને તું ઊંટ ઉપર બેસાડ, એ થાકી ગઈ છે. પેલાએ કહ્યું કે આ ઊંટ હવા ખાવા અને ફરવા માટે છે, ભાડાં માટે નહિ. આગળ જતાં ઊંટવાળાનો વિચાર બદલાયો. યુવાન છોકરી હતી, દાગીના પહેરેલા હતા. આવી તક મેં જતી કરી ! ઊભો રહ્યો. ડોશી આવી એટલે ઊંટવાળાએ કહ્યું, કે તારી છોકરીને બેસાડી દે, એટલે મને સેવાનો લહાવો મળે. ડોશીએ કહ્યું : “એ સમય તો ગયો.” “કેમ ?” “તને જે કહી ગયો એ જ મને પણ કહી ગયો.” “શું કહ્યું ?” “તને જે વિચાર આવ્યો એ વિચાર મને પણ આવી ગયો.” આવું reflection સામાન્ય ભૂમિકા પર રહેલા માણસોને પણ થાય. તમે વ્યાપાર કરતા હો અને કોઈક વાર મુશ્કેલીમાં આવો તે પહેલાં જ તમને intuition નથી આવતું ? બહારગામ કોઈ બીમાર છે અને તમને એના પત્રથી જાણ થાય એ પહેલાં કાગળ લખવાનું મન થઈ જાય છે ને ? કોઈક માણસ આવતો હોય ને તમને સાંભરે કે ફલાણાભાઈ કેમ આવ્યા નથી ? અને એ જ સમયે એ બારણે ટકોરા મારે. તમે કહો કે તમે સો વર્ષના થવાના, હમણાં જ તમને યાદ કર્યા. વાત એ છે કે વિચારોની કેટલી જબરદસ્ત શક્તિ છે એનો લોકોને ખ્યાલ નથી. મહાપુરુષોને એનો ખ્યાલ છે, એટલે એકેએક વિચારને એ સારો રાખે છે. દરેક વિચારને એ ધોઈને સ્વચ્છ રાખે છે. અમુક દેશના સમાચાર લોકોના રેડિયો ઉપર ન આવવા દેવા હોય તો રેડિયો સેન્ટરવાળા centreમાંથી એ તાર જરા ફેરવી નાખે પછી એ સેન્ટર ઉપર તમે ગમે એટલી વાર સ્વિચ ફેરવો પણ ત્યાંના news તમારા સ્ટેશન ઉપર નહિ આવે. એવી જ રીતે આપણું આ ચૈતન્ય એક એવું centre છે જેમાં વિશ્વના બધા જ પ્રવાહો તમે પકડી શકો. પણ અંદરનો તાર ખસી ગયો તો સામાનો પ્રવાહ નહિ ઝિલાય. એટલે જેટલા વિચારો સારા બનતા જાય, શુદ્ધ બનતા જાય, ઉચ્ચ બનતા જાય, એનો ફાયદો કોને છે ? તમને છે. પછી તમે બધા વિચારો wavesની જેમ receive કરી શકો. આ શક્તિ બધામાં પડી છે. ખાસ કરીને એ માતાઓમાં દેખાશે. માતૃહૃદય એટલું તૈયાર હોય છે કે, પોતાના સંતાનના અશુભમાં અને શુભમાં એના તારો ઝણઝણી ઊઠે છે. એક wire હોય, એ ખાલી પડેલો હોય ત્યારે એમાં કોઈ જ ઉંમાં ન હોય. પણ એ જ wireને લઈ તમે socketની સાથે જોડી દો પછી એ પૂર્ણના પગથારે જ ૨૫૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002142
Book TitleJivan Mangalya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Devnagari & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy