SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ જે યુવાન હતા તે વૃદ્ધ થઈ ગયા છે અને જે વૃદ્ધ હતા એ સ્વર્ગે સિધાવી ગયા છે. કાળ માણસને કેવી રીતે માપી રહ્યો છે; કાળ વહી રહ્યો છે છતાં માણસના મનમાં મમતાનું એક ખેંચાણ એવું પડ્યું છે કે એને કારણે એ પૂર્ણ રીતે જાગતો જ નથી. હા, કદીક એ જાગી જાય છે, કદીક કદીક એ સારા વિચારો પણ કરી નાખે છે પણ ફરીથી પેલું આવરણ આવીને એના ઉપર એવું બેસી જાય છે કે પાછો એ રાગદ્વેષના કીચડમાં ખૂંચી જાય છે. માણસના મન ઉ૫૨ મમતા એવું આવરણ લાવીને નાખે કે એક વાર જાગ્રત બનેલ આત્મા પણ પાછો ભુલભુલામણીમાં ફેંકાઈ જાય છે. એવો ભુલભુલામણીમાં ફેંકાય કે એક વખત નિવૃત્ત થયેલા આત્માને પણ પાછું પ્રવૃત્તિનું જોતરું વળગી જાય છે અને એ પ્રવૃત્તિના જોતરામાં ખેંચાતો જાય છે. અને પછી તો એમાં એવો અટવાય છે કે પોતાને માટે એક કલાક કાઢવો હોય તો પણ એ કાઢી ન શકે. જ્ઞાનીઓ પૂછે છે “આ માનવદેહ જેને દેવતાઓ નમન કરે છે, એવા માનવદેહને તું માત્ર આહાર, નિદ્રા, ભય અને મૈથુનમાં પૂરો કરી નાખીશ ? આ માનવદેહ જે દેવદુર્લભ છે, એવા આ માનવદેહને માત્ર તું થોડું ધન ભેગું કરવામાં, થોડાં મકાનોનો સંગ્રહ કરવામાં, થોડી પદવીઓ લેવામાં અને થોડીક વાહવાહ કહેવડાવવામાં સમાપ્ત કરીશ તો જીવનના સમગ્ર દુ:ખનો નાશ કરનાર અને પરમસુખની પ્રાપ્તિરૂપ મોક્ષ (કર્મરહિત અવસ્થા)ને ક્યારે મેળવીશ ?" આત્મદર્શન આ મૂળવસ્તુની મહત્તા સમજાવે છે; રાજ્યશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, વૈદકશાસ્ત્ર અને નીતિશાસ્ત્ર ભૌતિક વસ્તુઓ તરફ દૃષ્ટિ રાખે છે; જ્યારે આત્મશાસ્ત્ર પારમાર્થિક સત્યને લક્ષ્યમાં રાખે છે. અહીં જ આ ભેદરેખા દેખાય છે. આત્માશાસ્ત્રના પરિશીલનથી ચિત્તમાં શાંતિનો, બુદ્ધિમાં વિવેકનો અને હૃદયમાં સંતોષનો ઉદય થાય છે. ચિત્તને શાંતિની જરૂર છે. “પ્રશાન્તસ્ય ત: સુદ્રમ્'' અશાન્તને સુખ ક્યાંથી ? એ ખાવા બેસે તો ખાવામાંય એને આનંદ નહિ. અશાન્તિથી ખાનારના મોઢા ઉપર જે આનંદ ન હોય તે ઘણી વાર શાન્ત તપસ્વીના મોઢા ઉપર હોય છે. એનું કારણ એ કે એને ખાવાનું નથી પણ ચિત્તમાં શાંતિ તો છે જ. ચિત્તમાં શાંતિ ન હોય એવા કોઈ તાજમહાલની પાર્ટીમાં જઈ આવેલાને પૂછો કે તમે શું ખાઈને આવ્યા ? તો કહેશે ભૂલી ગયો, કારણ કે એ ધમાલમાં પડેલો હતો, એવી પરિસ્થિતિમાં વસ્તુનો આસ્વાદ એ ક્યાંથી માણી શકે ? પણ આવો અશાંત, ધમાલિયો આસ્વાદને માણી નથી શક્યો એટલા માત્રથી એને Jain Education International પૂર્ણના પગથારે * ૨૩૯ For Private & Personal Use Only — www.jainelibrary.org
SR No.002142
Book TitleJivan Mangalya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Devnagari & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy