SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ હું અઢાર કલાક કરવા તૈયાર છું. મારું વજન અઠ્ઠાણું રતલ છે પણ મારું શરીર તો રૂનો લોચો નહિ પણ વણેલી વાટ છે.” રૂનો લોચો હોય તો ફંદાઈ જાય પણ વર્ણળી વાટ કેવી મજબૂત હોય ! બહારના સોજાથી માંદગીનો સંચય કરો એના કરતાં પાતળાં થઈને તંદુરસ્તી પ્રાપ્ત કરો એવો શુભ દિવસ, એવું સુપ્રભાત ક્યારે આવે ? અને એ પ્રભાત ચોક્કસ માનજો કે ત્યારે જ આવવાનું છે કે જ્યારે તમે માનો કે હું તો ઈશ્વરસ્વરૂપ છું; અને જે ભગવાનને પ્રિય છે તે મને પણ પ્રિય હોવું જોઈએ. ભગવાનને જે પ્રિય છે તે મને પ્રિય કેમ ન હોય ? ભગવાનને જે પ્રિય નથી એ મને પ્રિય છે એ બતાવી આપે છે કે મારામાં કશીક માંદગી છે. pure અંગ્રેજીમાં એક કહેવત છે કે You are always sure when you are જ્યારે તમે નિર્મળ હશો ત્યારે જ તમે નિ:સંશય હશો કારણ તમારી તબિયત અને તમારી હકીકત તમે જાણતા હો છો, તો જ્યારે તમે pure હશો ત્યારે જ sure બની શકો. પણ માણસ જો ચોખ્ખો ન હોય, શુદ્ધ ન હોય તો એ કેવી રીતે ચોક્કસ બની શકે ? આપણે કાંઈ બનવાનું નથી. આપણે જન્મથી, પહેલેથી, બ્રહ્મસ્વરૂપ છીએ. આત્મા પરમાત્મા-સ્વરૂપ છીએ. સામાન્ય લોકો પણ કોઈક વાર આ સત્ય ઉચ્ચારતા હોય છે કે જીવ તે શિવ છે, આત્મા તે પરમાત્મા છે, ખુદ તે ખુદા છે, બિંદુ તે સિંધુ છે. આ ભાષાની કહેવતો એ સ્વશક્તિનું દર્શન કરાવે છે. અને જ્યારે આ શક્તિનું તમને દર્શન થઈ જાય છે ત્યારે તમે જ રાજકુમાર છો. માત્ર તમે જાણી લો. જે ઘડીએ જાણી લો તે ઘડીથી હુકમ કરવા માંડો છો. પછી તમારી ચોરવૃત્તિઓ નીકળી જાય છે. — મિત્રો, અત્યારે તમારી જે પૂર્ણતા છે એ તો માગી લાવેલાં ઘરેણાં જેવી છે. પણ અંદરની પૂર્ણતા, સહજ આત્મસ્વરૂપનું જ્ઞાન, એ જાતિવંત રત્ન સમાન છે. જાતિવંત રત્નમાં રહેલી વિભા, એનાં કિરણો, એનો પ્રકાશ, એનું તેજ એ ઉછીની લાવેલ ભાડૂતી વસ્તુ નથી. રત્નના કટકા કરો પણ એના અંશેઅંશમાં તેજથી ચમકતાં કિરણો પુરાયમાન થઈ રહ્યાં છે. એમ આપણા આત્માના પ્રદેશેપ્રદેશમાં પૂર્ણ આનંદની એ જ શક્તિ ભરેલી છે જે ૫રમાત્મામાં છે. આ શક્તિનું દર્શન કરવું એ જ જીવનનો હેતુ છે. તો આ માટે મનને તૈયાર કરવું પડશે. આ મન જો નિર્બળ બની ગયું તો ગાડીને તાણવાને બદલે ગાડી અધવચ્ચે જ ઊભી રહી જશે અને આ Jain Education International ૧૯૦ * જીવન-માંગલ્ય For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002142
Book TitleJivan Mangalya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Devnagari & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy