SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ પૂર્ણ આનંદનો અમૃતકુંભ હૈયાની ભીતરમાં હોવા છતાંય, જુઓ તો ખરા, આનંદ શોધવા માટે માનવી બહાર ફાંફાં મારે છે ! રાજ્યના ધનભંડારની ચાવી ભંડારીને સોંપી દઈ પોતે પ્રમાદ સેવનારા અને પોતાને જોઈતી વસ્તુ મેળવવા માટે ભંડારીની પૂંઠે પૂંઠે ફરનારા રાજકુમારના જેવી આપણા આત્માની કથા છે. પોતાના આનંદભંડારની ચાવી એ મન અને બુદ્ધિને આપી બેઠો છે તેથી જ, આનંદ મેળવવા માટે એને મન અને બુદ્ધિની પાછળ ભટકવું પડે છે. આત્મા અજ્ઞાની નથી, સ્વયં જ્ઞાનમય છે, ચિન્મય છે. અજ્ઞાની તો બુદ્ધિ છે. જ્ઞાન મેળવવા માટે, પુસ્તકો ફેંદવા જવાની પણ જરૂર નથી. આત્માનું જ્ઞાન તો આત્માની અંદર જ પડેલું છે. ભીત૨માં ડોકિયું કરવાની જ જરૂર છે. હીરાની ઉપરનું આવરણ ખસી જાય એટલે કિરણો પ્રસરે, તેમ આત્મા પરનું બુદ્ધિના વિકલ્પનું આવરણ હટી જાય, તો તુરત જ આત્માનો પ્રકાશ વ્યાપે. કેવળ પુસ્તકો વાંચવાથી નહિ, કેવળ શાસ્ત્રો સાંભળવાથી નહિ, પણ એનો જીવનમાં અનુભવ કરવાથી જ આનંદ સાંપડશે. લોકો ફોટામાં કેરી જુએ તેથી આનંદ નહિ મળે, કેરીના રસનો અનુભવ ક૨શે ત્યારે જ આનંદ સાંપડશે. આનંદના અનુભવની તુલના કરી શકાય જ નહિ. એને તો અંદર ને અંદર પચાવવાની શક્તિ હોવી જોઈએ. સજ્જન બાતાં પ્રેમ કી, પર-મુખ કહી ન જાય; મૂંગા કો સપનો ભર્યો, સમજ સમજ મલકાય. આત્માનો અનુભવ કોઈને કહી શકાતો જ નથી; એ તો ભીતરમાં જ સમજવાની અને ભીતરમાં જ આનંદવાની બાબત છે. આત્માનો આનંદ-અનુભવ કરનારો સતત ખુશ જ રહે, કારણ કે એ જાણે છે કે પરિસ્થિતિ ન બદલાય તોય મારી મનઃસ્થિતિ બદલી શકું છું. દુ:ખમાં પણ સુખનો અનુભવ કરે; એ પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ પ્રસન્નતા સેવે. પ્રત્યેક પરિસ્થિતિમાંથી ચિંતન દ્વારા મનનું સમાધાન મેળવી સરખો સુખાનુભવ કરે એનું નામ ફિલસૂફ તત્ત્વજ્ઞાની, આત્માનું સ્વરૂપ સત્યમય, જ્ઞાનમય, આનંદમય છે. Jain Education International પૂર્ણિમા પાછી ઊગી ! * ૧૫૯ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002142
Book TitleJivan Mangalya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Devnagari & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy