SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ તેઓની આવી ભૂખ સંતોષાતી નથી, અને તેથી જ તેઓને ધાર્મિક અભ્યાસમાં રસ પડતો નથી. મને યાદ છે કે એક વખત એક પ્રૌઢ ઉમરના શિક્ષક પાસે બાળકો સૂત્રોની ગાથાઓ બોલી રહ્યાં હતાં. ત્યાં એક વિદ્યાર્થીએ પ્રશ્ન કર્યો કે, સાહેબ ! સુર્ય સવારે ઊગે છે અને સાંજના આથમે છે, પણ જગતમાં કોઈ એવો પ્રદેશ હોઈ શકે ખરો કે જ્યાં સૂર્ય દિવસોના દિવસ સુધી આથમે જ નહિ ? આ ધાર્મિક શિક્ષકને ભૂગોળનું જ્ઞાન ન હોવાથી પેલા વિદ્યાર્થીને મૂર્ખાઈ ભરેલો પ્રશ્ન પૂછે છે એમ કહી બેસાડી દીધો. આવી પરિસ્થિતિ આપણી મોટા ભાગની પાઠશાળાઓમાં પ્રવર્તે છે. વિદ્યાર્થીઓ પોતાની જિજ્ઞાસા સંતોષવા એક ઠેકાણેથી બીજે ઠેકાણે જાય છે, પણ કોઈ સ્થળે એમને મૂર્ખ ગણી હસી કાઢે છે, તો વળી કોઈ સ્થળે એમને જડ ગણી હાંકી કાઢવામાં આવે છે, તો વળી કોઈ સ્થળે એને નાસ્તિક કહી તિરસ્કારવામાં આવે છે. આના પરિણામે વિદ્યાર્થીઓ કંટાળી જાય છે, અને ધાર્મિક અભ્યાસમાંથી તેમની શ્રદ્ધા જ ઊઠી જાય છે. એટલે પ્રથમ તો આજે પાઠશાળાઓમાં એવા શિક્ષકોની જરૂર છે કે જેમણે ધાર્મિક અભ્યાસ સાથે સંપૂર્ણ વ્યાવહારિક વિજ્ઞાનનું જ્ઞાન પણ લીધું હોય, દૃષ્ટિની વિશાળતા હોય. માત્ર સૂત્રોની ગાથાઓ ગોખાવ્યા કરે એવા શિક્ષકો વર્તમાન કાળે આપણી પાઠશાળાઓમાં નહિ ચાલે, અને એ જ રીતે કૉલેજ તેમ જ હાઈસ્કૂલોમાં પણ વ્યાવહારિક સાથે આધ્યાત્મિક શિક્ષણ ધરાવનાર શિક્ષકો અને પ્રોફેસરોની પસંદગી કરવામાં આવશે ત્યારે જ વિદ્યાર્થીઓમાં પ્રવર્તતી અશિસ્ત નાબૂદ થશે. ક્રિયા આપણા આત્મા માટે છે, આપણો આત્મા ક્રિયા માટે નથી, એ આપણે હંમેશાં યાદ રાખવાનું છે. જો દરેક ક્રિયા વિવેકપૂર્વક કરવામાં આવતી હોય તો એવી ક્રિયા કરનારને કોઈ પાપકર્મનું બંધન થતું નથી. દશવૈકાલિક સૂત્રમાં કહ્યું છે કે જે વિવેકથી ચાલે, વિવેકથી ઊભો રહે, વિવેકથી સૂવે, વિવેકપૂર્વક ભોજન કરે અને વિવેકપૂર્વક બોલે તો તે પાપકર્મ બાંધતો નથી. દેહ અને આત્મા વચ્ચેના ભેદ પણ આપણે સમજી લેવા જોઈએ. આત્મા ઘીના લોટા જેવો છે, કાયા છાશના લોટા જેવી છે. કોઈ માણસ એક હાથમાં ઘીનો લોટો અને બીજા હાથમાં છાશનો લોટ રાખી માર્ગે ચાલ્યો જતો હોય, અને સામેથી કોઈ દોડતું આવતું હોય તો તેની અડફેટમાંથી બચવા માટે એ માણસ એ રીતે તરી જશે કે જેથી છાશના લોટાના ભોગે પણ ઘીના લોટાને આંચ ન આવે. આ રીતે કાયાના ભોગે આત્માનું રક્ષણ કરી શકાય, પણ આત્માના ભોગે કાયાનું રક્ષણ ન જ થઈ શકે આવી રીતે સર્જન અને વિસર્જન વચ્ચેના ભેદ પણ આપણે જાણી લેવા જીવન-માંગલ્ય હ ૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002142
Book TitleJivan Mangalya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Devnagari & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy