SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ ન દેખાય; પણ પાણીનો લોટો જરૂર મળી રહેશે. નારૂં દ્વારા નમ્રતા આવવા માંડે છે, અને નમ્રતા દ્વારા પૂર્ણતાના પ્રાપ્ત થાય છે; બાળક નમ્ર છે એટલે જ એ સૌને પ્રિય લાગે છે. બાળકને બધાં જ બોલાવે છે, બધાંને જ બાળકો ગમે છે. આપણે સૌને ગમતાં નથી એનું કારણ અન્ય કાંઈ નહિ પણ આપણામાં રહેલું મોટું અહં છે. લઘુતામાં પ્રભુતા છે. હું કંઈક છું એવું અભિમાન જ એ ખોટું તત્ત્વ છે, આવો વિચાર જ ભૂલભરેલો છે, કારણ કે એ તો પેલા ઝાંઝવાના જળ જેવું છે. જેમ જેમ પાછળ દોડો તેમ તેમ તે દૂર ભાગે. નાહં એ જ વિકાસલક્ષી છે અને તે સ્થિતિ પ્રાપ્ત થયા પછી જ નારૂં માંથી સોઢું (સ: એટલે પરમ આત્મા; ૐ એટલે હું છું)ની સ્થિતિ પ્રાપ્ત કરી શકાશે. માનવજાતનો મોટો ભાગ દુઃખમાં રિબાઈ રહ્યો છે. તેનું કારણ વસ્તુનો અભાવ નહિ પણ ભેદજ્ઞાનનો અભાવ છે. ખાવા માટે પદાર્થો, ૨હેવા માટે ઘર, પહેરવા માટે વસ્ત્રો આ બધું છે છતાંય માણસો દુઃખી છે ને ? કારણ કે સોહંમાં મગ્ન બની આત્માની મસ્તી માણવાને બદલે અહંને પોષવાની ધમાલમાં જીવો પડ્યા છે. અહંને ગમે તેટલો પૂરવા અને પોષવાનો પ્રયત્ન કરો પણ તે પૂર્ણ થઈ શકે તેમ નથી. સુખ પ્રાપ્ત કરવું હોય તો અહંને વિદાય આપવી જ રહી. અહંની જગ્યાએ નાહંની સ્થિતિ લાવી સોહંની વ્યવસ્થા અનુભવવી જ રહી. - સોહંનો ભાવસ્પર્શ થતાં જ તમને લાગશે કે હું સુખમય છું, આનંદમય છું અને શાશ્વત છું; અને પછી તો તમને જોનારને પણ લાગશે કે આ માણસના અંગમાં અને આંખમાં કેવી પ્રસન્ન પ્રફુલ્લતા વ્યાપી રહી છે ! Jain Education International ૯૨ * જીવન-માંગલ્ય For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002142
Book TitleJivan Mangalya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Devnagari & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy